IndiaPolitics

ઉદ્ધવ ઠાકરે નો કંગના અને અર્નબ ગૌસ્વામીને જડબાતોડ જવાબ! જાણો!

મહારાષ્ટ્રમાં રોજે રોજ એક વિવાદ જન્મ લઈ રહ્યો છે. રોજે રોજ કોઈને કોઈ ઘટના બનતી રહે છે જે સમગ્ર દિવસ દરમિયાન ટીવી ચેનલોમાં ચર્ચાનો વિષય બને છે. સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા બાદ સમગ્ર મહારાષ્ટ્રનું રાજકારણ યેન કેન પ્રકારે ગરમાઈ ગયું છે. ટીવી ડિબેટમાં બૉલીવુડ પર સાધવામાં આવતું નિશાન ક્યારે સરકાર તરફ થઈ ગયું એ કોઈને ખબર ના પડી તો કેટલાક લોકોએ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ બાંયો ચઢાઈ છે. હવે આ તમામ સામે ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મોરચો ખોલ્યો છે.

મહા વિકાસ અઘાડી, ઉદ્ધવ ઠાકરે
ફોટો સોશિયલ મીડિયા

મહારાષ્ટ્રમાં બનતી તમામ ઘટનાઓ અને સરકારને બદનામ કરવાની સાજીશ સામે સંજય રાઉત એકલે હાથે લડતાં હતાં પરંતુ હવે ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ મેદને એ જંગ માં ઝંપલાવ્યું છે. વારંવાર ટીવી ડિબેટ માં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને તૂ-તડાક કરનાર અરનબ ગૌસ્વામી અને કંગના રનૌતને પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ નામ લીધા વગર આડકતરી રીતે સખત શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રને બદનામ કરતાં લોકોને ચેતી જવા પણ કહ્યું છે. આ સાથે જ ઉદ્ધવ ઠાકરે દ્વારા કોરોના મહામારી બાબતે પણ વાત કરી હતી.

અર્ણવ ગોસ્વામી, ઉદ્ધવ ઠાકરે
ફોટો સોશિયલ મીડિયા

મહારાષ્ટ્રમાં કંગના રનૌતની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા બાદ એક વિવાદ જન્મ્યો હતો અને ત્યારબાદ કેટલાક ગુંડાતત્વો દ્વારા એક મર્ચન્ટ નેવીના અધિકારી પર હુમલાની ઘટના બની હતી જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતાં. જોકે સમગ્ર મામલે તાપસ હાથ ધરીને 24 કલાકની અંદર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. આ તમામ બાબતે શિવસેના તરફથી સંજય રાઉત જ જવાબ આપી રહ્યા હતાં ત્યારે ઉદ્ધવ ઠાકરે એ પોતાનું મૌન તોડ્યું હતું.

ઉદ્ધવ ઠાકરે, Kangna Ranaut, Sanjay Raut, સંજય રાઉત,
ફોટો સોશિયલ મીડિયા

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે જનતા સમક્ષ આવ્યા અને લાઈવમાં મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે, મહારાષ્ટ્રને લઈને જે ચીજવસ્તુ થઇ રહી છે તેના પર હું વાત કરીશ. હું ચુપ છે તેનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. હું બોલી નથી રહ્યો એનો અર્થ એવો નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્ર સરકાર સતત પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહીને કામ કરી રહી છે. તોફાન પણ મુંબઈ આવીને ગયું. મહારાષ્ટ્ર સરકારે આ પરિસ્થિતિમાં સારું કામ કર્યું છે.

શિવસેના, ઉદ્ધવ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

કોરોના મહામારી બાબતે વાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને જાગરુક રહો. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ સંકટ વધી રહ્યું છે. બધા જ ધર્મના લોકો સામાજિક જવાબદારીનું પાલન કરીને તહેવાર ઉજવે. કોરોના વાયરસ સંકટ વધી રહ્યું છે અને હજુ વધારે વધશે. અત્યારે હું રાજનીતિ કરવા માંગતો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે મારા પાસે જવાબ નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જે ચલાવી લેવામાં આવશે નહીં.

શિવસેના, ઉદ્ધવ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!