મહારાષ્ટ્રમાં રોજે રોજ એક વિવાદ જન્મ લઈ રહ્યો છે. રોજે રોજ કોઈને કોઈ ઘટના બનતી રહે છે જે સમગ્ર દિવસ દરમિયાન ટીવી ચેનલોમાં ચર્ચાનો વિષય બને છે. સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યા બાદ સમગ્ર મહારાષ્ટ્રનું રાજકારણ યેન કેન પ્રકારે ગરમાઈ ગયું છે. ટીવી ડિબેટમાં બૉલીવુડ પર સાધવામાં આવતું નિશાન ક્યારે સરકાર તરફ થઈ ગયું એ કોઈને ખબર ના પડી તો કેટલાક લોકોએ મહારાષ્ટ્ર સરકાર સમક્ષ બાંયો ચઢાઈ છે. હવે આ તમામ સામે ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મોરચો ખોલ્યો છે.
મહારાષ્ટ્રમાં બનતી તમામ ઘટનાઓ અને સરકારને બદનામ કરવાની સાજીશ સામે સંજય રાઉત એકલે હાથે લડતાં હતાં પરંતુ હવે ખુદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ મેદને એ જંગ માં ઝંપલાવ્યું છે. વારંવાર ટીવી ડિબેટ માં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ને તૂ-તડાક કરનાર અરનબ ગૌસ્વામી અને કંગના રનૌતને પણ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ નામ લીધા વગર આડકતરી રીતે સખત શબ્દોમાં જડબાતોડ જવાબ આપ્યો છે. મહારાષ્ટ્રને બદનામ કરતાં લોકોને ચેતી જવા પણ કહ્યું છે. આ સાથે જ ઉદ્ધવ ઠાકરે દ્વારા કોરોના મહામારી બાબતે પણ વાત કરી હતી.
મહારાષ્ટ્રમાં કંગના રનૌતની ઓફિસમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા બાદ એક વિવાદ જન્મ્યો હતો અને ત્યારબાદ કેટલાક ગુંડાતત્વો દ્વારા એક મર્ચન્ટ નેવીના અધિકારી પર હુમલાની ઘટના બની હતી જેના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતાં. જોકે સમગ્ર મામલે તાપસ હાથ ધરીને 24 કલાકની અંદર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. આ તમામ બાબતે શિવસેના તરફથી સંજય રાઉત જ જવાબ આપી રહ્યા હતાં ત્યારે ઉદ્ધવ ઠાકરે એ પોતાનું મૌન તોડ્યું હતું.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રવિવારે જનતા સમક્ષ આવ્યા અને લાઈવમાં મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું. ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે, મહારાષ્ટ્રને લઈને જે ચીજવસ્તુ થઇ રહી છે તેના પર હું વાત કરીશ. હું ચુપ છે તેનો અર્થ એ નથી કે મારી પાસે જવાબ નથી. હું બોલી નથી રહ્યો એનો અર્થ એવો નથી કે મારી પાસે જવાબ નથી. મહારાષ્ટ્ર સરકાર સતત પ્રતિકૂળ પરિસ્થિતિમાં રહીને કામ કરી રહી છે. તોફાન પણ મુંબઈ આવીને ગયું. મહારાષ્ટ્ર સરકારે આ પરિસ્થિતિમાં સારું કામ કર્યું છે.
કોરોના મહામારી બાબતે વાત કરતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોરોના વાયરસને લઈને જાગરુક રહો. કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ સંકટ વધી રહ્યું છે. બધા જ ધર્મના લોકો સામાજિક જવાબદારીનું પાલન કરીને તહેવાર ઉજવે. કોરોના વાયરસ સંકટ વધી રહ્યું છે અને હજુ વધારે વધશે. અત્યારે હું રાજનીતિ કરવા માંગતો નથી પરંતુ તેનો અર્થ એ નથી કે મારા પાસે જવાબ નથી. મહારાષ્ટ્રને બદનામ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે જે ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો
- સંજય રાઉત હવે છેલ્લે સુંધી લડી લેવાના મૂડમાં! આપ્યું મોટું નિવેદન! જાણો!
- સીઆર પાટીલ આવ્યા બાદ પાર્ટીમાં બીજું મોટું ભંગાણ!
- નેતા એ જ પાર્ટી પર લગાવ્યા ગંભીર આરોપ! આ નેતાને દુર કરવા આપ્યું અલ્ટીમેટમ!
- રાજકોટમાં રાજકિય ભૂકંપ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ભાજપને ગર્ભિત ચેતવણી!
- કોણ હાર્દિક પટેલ? પૂછનાર સીઆર પાટીલને 13 દિવસમાં જ હાર્દિકે બતાવ્યું પાણી.
- હાર્દિક પટેલ આવી રીતે પાડ્યું પાટીલની ગેરહાજરીમાં મુખ્યમંત્રીના ગઢમાં ગાબડું! જાણો
- ટ્રમ્પ માટે રાતોરાત સ્ટેડિયમ રોડ રસ્તા બને ખેડૂત ને નુકશાન વળતર માટે રાહ જોવાની?
- ભાજપ કાર્યકરે સીઆર પાટીલને ફોન કરી કહ્યું કોંગ્રેસવાળા હેરાન કરે છે! પાટીલે આપ્યો જવાબ!
- ગુજરાત ભાજપ ત્રણ ફાડીયામાં વહેંચાયું? આયાતીઓનો જમાવડો ભાઉની નારાજગી?
- પ્રધાનમંત્રી મોદી ની સલાહ અવગણીને ગુજરાત ભાજપ અધ્યક્ષ પસ્તાઈ રહ્યા હશે!
- કોંગ્રેસ ધારાસભ્યોએ ભાજપના નાકમાં કર્યો દમ! પાટીલ ભાઉની ચિંતામાં વધારો!
- પાટીદાર ક્રાંતિ દિવસે હાર્દિક પટેલ ની મોટી જાહેરાત! યુવાનોને કર્યું આહવાન…જાણો!
- ગુજરાત ભાજપ માં ભંગાણ! કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતા 16 વર્ષે કોંગ્રેસમાં પાછા ફર્યા!
- લો હવે તો રાહુલ ગાંધી એ પણ કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ! જાણો!