IndiaPolitics

કર્ણાટક ચૂંટણીઃ ભાજપને મોટો ફટકો! વીરશૈવ લિંગાયત ફોરમની જાહેરાત બાદ બદલાયા સમીકરણ!

કર્ણાટકમાં ચૂંટણી જંગ છેડાઈ ચુક્યો છે અને દરેક પાર્ટીએ એડીચોટીનું જોર ઝોનકી દીધું છે. ભાજપ સત્તા ટકાવી રાખવા અને કોંગ્રેસ સત્તામાં આવવા મથી રહ્યું છે. ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે 13 મી મે ના રોજ પરિણામ આવશે. હોવી માત્ર અંતિમઘડીઓનો જ ઓરચાર બાકી રહ્યો છે. તેવામાં ભાજપ માટે માઠા સમાચાર આવી રહ્યા છે. તો કોંગ્રેસ માટે સારા સમાચાર આવી રહ્યા છે. આ ન્યૂઝ કોંગ્રેસમાં પ્રાણ પુરવાનું કામ કર્યું છે.

ભાજપ દ્વારા યેદિયુરપ્પાને બાકાત રાખ્યા પછી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરને તેમના ગઢ હુબલ્લીમાંથી સીટ નકારવામાં આવ્યા પછી વીરશૈવ લિંગાયત સમુદાય ભાજપ સામે ગુસ્સે થઈ રહ્યો છે. લિંગાયત સંપ્રદાયના શક્તિશાળી જૂથ વીરશૈવ લિંગાયત ફોરમે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપતો ખુલ્લો પત્ર જાહેર કર્યો છે.

ફોરમે લિંગાયત સમુદાયના સભ્યોને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મત આપવા વિનંતી કરી હતી. લિંગાયત સમુદાય ભાજપની પરંપરાગત વોટ બેંક છે અને 1980ના દાયકાથી પક્ષના નેતા બી.એસ. યેદિયુરપ્પા, જે સમુદાયના છે, તેમણે લિંગાયત સમર્થન અને આધાર વિકસાવવા માટે અથાક મહેનત કરી હતી. હવે વર્ષો બાદ આ ફોરમ દ્વારા ભાજપ સામે લાલા આંખ કરીને કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે કહેરતા બાદ કર્ણાટક ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. અને સમીકરણો બદલાઈ ગયા છે.

જો કે, યેદિયુરપ્પાને બાકાત રાખ્યા પછી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટરને તેમના ગઢ હુબલ્લીમાંથી સીટ નકારવામાં આવ્યા પછી સમુદાય ભાજપ સામે ગુસ્સે છે. જગદીશ શેટ્ટરે ખુલ્લેઆમ ટીકા કરતા કહ્યું કે ભાજપના રાષ્ટ્રીય સંગઠન સચિવ બી.એલ. સંતોષે તેમને ટિકિટ ન આપી જે એક સંદેશ છે કે ભાજપ પાર્ટી પર લિંગાયત સમુદાયનો પ્રભાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. કર્ણાટકમાં લિંગાયતો એક શક્તિશાળી સમુદાય છે જેની સંખ્યા 17 ટકા છે અને રાજ્યમાં નવ લિંગાયત મુખ્યમંત્રીઓ રહી ચૂક્યા છે.

કોંગ્રેસના નેતાઓ શમનુર શિવશંકરપ્પા અને જગદીશ શેટ્ટર રવિવારે સવારે હુબલીમાં લિંગાયત સમુદાયના લોકોને મળ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગયા અઠવાડિયે લિંગાયત સંપ્રદાયના સ્થાપક બસવેશ્વરના પવિત્ર મંદિર સંગમંથા મંદિરની મુલાકાત લીધી હતી, જેને બસવન્ના તરીકે પણ ઓળખવામાં આવે છે. 10 મેના રોજ યોજાનારી ચૂંટણી સાથે, શક્તિશાળી લિંગાયત સંપ્રદાયના એક વર્ગ દ્વારા આપવામાં આવેલા સમર્થનથી કોંગ્રેસને ભારે પ્રોત્સાહન મળ્યું છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!