Point Of LawSupreme CourtTop Stories

જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે ઝારખંડ હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા શરતી જામીન આદેશોને રદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે અદાલતો નિયમિત અથવા આગોતરા જામીન મંજૂર કરે, ત્યારે તેને કોઈપણ રકમ જમા કરાવવાની શરતને આધીન રાખવી જોઈએ નહીં.

જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન ની બેન્ચ નોંધ્યું કે હાઈકોર્ટે “અસાધારણ આદેશો” પસાર કર્યા છે, જે સુપ્રીમ કોર્ટના ગજાનન દત્તાત્રય ગોરે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (2025) ના ચુકાદાથી અજાણ છે. તે ચુકાદામાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ઠરાવ્યું હતું કે: “જામીન અરજીઓ ગુણદોષ (merits) ના આધારે નક્કી થવી જોઈએ, આરોપીની ખાતરી પર નહીં.”

સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે “તે ખૂબ જ કમનસીબ છે કે આ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હોવા છતાં કે નિયમિત જામીન અથવા આગોતરા જામીન મંજૂર કરવા માટે કોઈપણ રકમ જમા કરાવવાની શરત ન હોવી જોઈએ, જો જામીન આપવા માટેનો કેસ બનતો હોય, તો કોર્ટે યોગ્ય આદેશ પસાર કરવો જોઈએ, અને જો કેસ ન બનતો હોય તો કોર્ટ ના પાડી શકે છે.

આ કિસ્સામાં, કોર્ટે  કર્યા હતા અને આદેશ આપ્યો હતો કે ધરપકડની સ્થિતિમાં આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવે. કોર્ટે રજિસ્ટ્રીને આ આદેશની નકલ ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવા પણ જણાવ્યું હતું.કેસની ટૂંકી વિગતઆ કેસમાં પિતા અને પુત્ર એમ બે આરોપીઓને છેતરપિંડીના કેસમાં હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન આપવામાં આવ્યા ન હતા. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓએ ફરિયાદી પાસેથી ક્રાફ્ટ પેપર ખરીદ્યા બાદ રૂ. 9,00,000 ની ચુકવણી કરી ન હતી.

આ મામલે FIR નોંધવામાં આવી હતી અને ધરપકડની બીકે આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ ત્યાં અરજી ફગાવી દેવામાં આવી હતી.ત્યારબાદ, તેઓએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો, જ્યાં હાઈકોર્ટે બે આદેશો પસાર કરીને તેમને પૂરક સોગંદનામું દાખલ કરવા નિર્દેશ આપ્યો હતો કે જેમાં ફરિયાદીને રૂ. 9,12,926.84 ની ચુકવણી કરવામાં આવી છે તેવું દર્શાવવામાં આવે.

ત્યારબાદ આરોપીઓએ સમય માંગ્યો હતો અને હાઈકોર્ટે તેમને સમય આપતો બીજો આદેશ પસાર કર્યો હતો.તારીખ 13 જાન્યુઆરી, 2025 અને 14 નવેમ્બર, 2025 ના બંને આદેશોમાં, હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે જો પેમેન્ટ દર્શાવતું સોગંદનામું ફાઈલ કરવામાં નહીં આવે, તો આગોતરા જામીન અરજી વધુ કોઈ સંદર્ભ વિના રદ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે “તે ખૂબ જ કમનસીબ છે કે આ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હોવા છતાં કે નિયમિત જામીન અથવા આગોતરા જામીન મંજૂર કરવા માટે કોઈપણ રકમ જમા કરાવવાની શરત ન હોવી જોઈએ, જો જામીન આપવા માટેનો કેસ બનતો હોય, તો કોર્ટે યોગ્ય આદેશ પસાર કરવો જોઈએ, અને જો કેસ ન બનતો હોય તો કોર્ટ ના પાડી શકે છે. કોર્ટે ચોક્કસ રકમ જમા કરાવવાનો શરતી આદેશ પસાર કરીને પછી પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરવો જોઈએ નહીં.”

Back to top button