જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ એ ઝારખંડ હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા શરતી જામીન આદેશોને રદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે અદાલતો નિયમિત અથવા આગોતરા જામીન મંજૂર કરે, ત્યારે તેને કોઈપણ રકમ જમા કરાવવાની શરતને આધીન રાખવી જોઈએ નહીં.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન ની બેન્ચ નોંધ્યું કે હાઈકોર્ટે “અસાધારણ આદેશો” પસાર કર્યા છે, જે સુપ્રીમ કોર્ટના ગજાનન દત્તાત્રય ગોરે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (2025) ના ચુકાદાથી અજાણ છે. તે ચુકાદામાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ઠરાવ્યું હતું કે: “જામીન અરજીઓ ગુણદોષ (merits) ના આધારે નક્કી થવી જોઈએ, આરોપીની ખાતરી પર નહીં.”
સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે “તે ખૂબ જ કમનસીબ છે કે આ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હોવા છતાં કે નિયમિત જામીન અથવા આગોતરા જામીન મંજૂર કરવા માટે કોઈપણ રકમ જમા કરાવવાની શરત ન હોવી જોઈએ, જો જામીન આપવા માટેનો કેસ બનતો હોય, તો કોર્ટે યોગ્ય આદેશ પસાર કરવો જોઈએ, અને જો કેસ ન બનતો હોય તો કોર્ટ ના પાડી શકે છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન ની બેંચે નોંધ્યું કે હાઈકોર્ટે “અસાધારણ આદેશો” પસાર કર્યા છે, જે સુપ્રીમ કોર્ટના ગજાનન દત્તાત્રય ગોરે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (2025) ના ચુકાદાથી અજાણ છે. તે ચુકાદામાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ઠરાવ્યું હતું કે: “જામીન અરજીઓ ગુણદોષ (merits) ના આધારે નક્કી થવી જોઈએ, આરોપીની ખાતરી પર નહીં.”
સુપ્રીમ કોર્ટ ની ખંડપીઠે નોંધ્યું હતું કે, “આ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નિયમિત જામીન અથવા આગોતરા જામીન મંજૂર કરવા માટે કોઈપણ રકમ જમા કરાવવાની શરત ન હોવી જોઈએ, જો જામીન આપવા માટેનો કેસ બનતો હોય, તો કોર્ટે યોગ્ય આદેશ પસાર કરવો જોઈએ, અને જો કેસ ન બનતો હોય તો કોર્ટ ના પાડી શકે છે. પરંતુ કોર્ટે ચોક્કસ રકમ જમા કરાવવાનો શરતી આદેશ પસાર કરીને પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
અંતે, કોર્ટે ધરપકડની સ્થિતિમાં તેઓને તપાસ અધિકારી દ્વારા લાદવામાં આવેલી શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
- પોલીસ સમક્ષ કરાયેલી કબૂલાતનો વીડિયો પુરાવા તરીકે માન્ય રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- ‘ભાઈ’ કે ‘કુમાર’ ની કલેરિકલ ભૂલ માટે વિદ્યાર્થીને જવાબદાર ન ઠેરવી શકાય: ગુજરાત હાઈકોર્ટ
- પત્ની પાસે LL.B ની ડિગ્રી હોય તો પણ ભરણપોષણ આપવું પડે: ગુજરાત હાઇકોર્ટ
- સંમતિથી છૂટાછેડાના કિસ્સામાં સમાધાન થયા પછી સંમતિ પાછી ખેંચી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ