
પ્રિયંકા ગાંધી ને ઉત્તરપ્રદેશના પ્રભારી નીમવામાં આવ્યા છે. જ્યોતિરાદીત્યા સિંધિયા રાજીનામાં બાદ પ્રિયંકા ગાંધી આખાય ઉત્તરપ્રદેશના પ્રભારી બન્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી એ જે પ્રમાણે ગણતરી કરી હતી એમ ભલે કોંગ્રેસની સીટ ઓછી આવી પણ ભાજપને જોરદાર ફટકો અને 2014 કરતા ઓછી સીટ ઉત્તરપ્રદેશમાંથી મળી હતી. સપા બસપા ના વોટની જગ્યાએ ભાજપના વોટ કાપે તેવા ઉમેદવારો મૂકીને રાજનૈતિક સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો.

ઉત્તર પ્રદેશને પોતાનું બીજું ઘર માની લીધું હોય એમ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના દરેક નાના મોટા બનાવો બાબતે સરકારને ઘેરે છે તેમજ પ્રિયંકા ગાંધી લગભગ મોટાભાગનો સમય દિલ્લી કરતા વધારે ઉત્તર પ્રદેશમાં જ વિતાવે છે તેવું પણ કહેવું વધારે નથી. યોગી સરકારને ઘેરવાના તેમજ ઉત્તરપ્રદેશની જનતાના પ્રશ્નો સમસ્યાઓ વગેરે ઉપર પ્રિયંકા ગાંધી ચાંપતી નજર રાખીને બેઠા હોય છે.

ઉત્તરપ્રદેશના સોનભદ્રમાં થયેલા દલિત હત્યાકાંડ બાબતે પ્રિયંકા ગાંધી એ અવાજ ઉઠાવ્યો અને તેના પડઘા આખાય દેશમાં પડ્યા. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં એક એવો કિસ્સો બન્યો જેણે સમગ્ર માનવજાતને હચમચાવી દીધી. સોનભદ્રમાં 300 લોકો અચાનક હથિયારો સાથે આવી પહોંચ્યા અને લાશના ઢગલા કરીને કાયદા કાનુનની ધજ્જિયા ઉડાવીને નાસી ગયા. આ લોકોએ રાજ્યની કાયદો અને કાનૂન વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારી.

ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ગુનેગારો બેખોફ બન્યા હતાં અને બેખોફ ગુનેગારોએ જમીન વિવાદને લઇને ધોળા દિવસે અંધાધૂંધ ધડાધડ ગોળીઓ વરસાવી. 32 જેટલા ટ્રેક્ટરો ભરીને આવેલા 300 લોકોએ જોતજોતાંમાં ઘણા નિર્દોષ લોકોની બેરહમી પૂર્વક હત્યા કરી નાખી. સોનભદ્ર કાંડે રાજ્યની કાયદો વ્યવસ્થાને ખુલ્લેઆમ પડકારી. વ્યવસ્થા તંત્ર અને સરકાર ઊંઘતી ઝડપાઇ! ગુનેગારો લાશોના ઢગલા કરીને નાસી છૂટ્યા.

ઘટના ઘટ્યા બાદનું દ્રશ્ય જોઈને ભલભલાના હાંજા ગગડી જાય તેવું અરેરાટી ઉપજાવનારું દ્રશ્ય સર્જાયું હતું. જોનારા આ ઘટના જોઈને હકકાબક્કા રહી ગયા હતા. કોઈના હાથમાંથી તો કોઈના પગમાંથી તો કોઈના માથા માંથી લોહીની ધારાઓ વહી રહી હતી. વરસાદ પડ્યા બાદ પાણીના ખાબોચિયાની જેમ લોહિના ખાબોચિયા ભરાઈ ગયા હતા. આ નરસંહારમાં લગભગ 10 જેટલા લોકોના મોત થયા છે અને કેટલાય લોકો ઘાયલ છે જે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

બસ આજ બાબતે પ્રિયંકા ગાંધી એ પીડિત પરિવારો જે હાલમાં પણ ભયના ઓછાયા હેઠળ જીવી રહયા છે તેઓને પૂરતી સુરક્ષા અને ઘાયલોને સારવાર તેમજ મૃતકોના પરિવારને વળતર આપી તેમને સાંત્વના આપવા માટેની માગ પ્રિયંકા ગાંધી કરી હતી સાથે જ તેઓ પીડિતોને મળવા માટે પણ દિલ્લીથી ઉત્તર પ્રદેશના સોનભદ્ર જાવા માટે રવાના થઈ ગયા હતા. પરંતુ રસ્તામાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી.

પ્રિયંકા ગાંધીને મિર્ઝાપુરના ચુનારના ગેસ્ટહાઉસમમાં કેદ કરી લેવામાં આવ્યા હતા. અને લગભગ 24 કલાક જેટલા સમય સુંધી તેમને ત્યાં કેદ કરવામાં આવ્યા હતા તેઓને પીડિત પરિવારને મળવા જવા દેવામાં આવ્યા નહોતા અને જવા દેવામાં આવશે પણ નહીં તેવું વ્યવસ્થા તંત્ર દ્વારા પ્રિયંકા ગાંધીને જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓને 50 હજાર રૂપિયા બોન્ડ પણ આપવા કહ્યું હતું પરંતુ પ્રિયંકા ગાંધીએ પોતાની ગેરકાયદેસર થયેલી અટકાયતનો જબરદસ્ત વિરોધ કર્યો અને 24 કલાક કશું પણ ખાધપીધાં વગર ધરણા કર્યા.

વ્યવસ્થા તંત્રને અને યોગી સરકારને સવાલ પૂછતાં કહ્યું હતું કે કેમ મને પીડિત પરિવારને મળવા જતાં રોકવામાં આવી રહી છે? મારો ગુનો શું છે તે જણાવ્યા વગર મને 50 હજારના જાતમુચરકના બોન્ડ ભરવાનું કેમ કહેવામાં આવે છે? આમ પ્રિયંકા ગાંધી જ્યાં હતા ત્યાંના ત્યાં જ ધરણા પર બેસી ગયા હતા બાદમાં તેમને ચુનારના ગેસ્ટહાઉસમાં લઈ જઈને કેદ કરવામાં આવ્યા હતા. તેમની આ ધરપકડને લઈને સમગ્ર ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા અને લોકો ચુનાર પહોંચી રહ્યા હતા.

ના માત્ર ઉત્તર પ્રદેશ પરંતુ સમગ્ર દેશમાં પણ આ બાબતે વિરોધ પ્રદર્શનો થવા લાગ્યા અને જોવા મળ્યું કે યોગી સરકારના એક ખોટા નિર્ણયના કારણે સમગ્ર દેશના કોંગ્રેસ કાર્યકરો ચાર્જ થઈ ગયા હતાં. ઉત્તરપ્રદેશમાં એક અંડર કરંટ દોડતો થઈ ગયો છે. તમામ કાર્યકરો રસ્તા પર આવી ગયા હતા અને યોગી સરકારના ખોટા નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા. 24 કલાકના ધરણા બાદ આખરે મિર્ઝાપુર જિલ્લા પ્રશાસને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ની જીદ આગળ નમવું પડ્યું.

પ્રિયંકા ગાંધી ને પીડિત પરિવારોને મળવા દેવામાં ના આવતાં ખુદ પીડિત પરિવારો પ્રિયંકા ગાંધીને મળવા માટે મિર્ઝાપુરના ચુનાર ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયા હતા. ત્યાં પણ માત્ર બે જણાને જ આવવા દેવાતા સમગ્ર પરિવારોને અટકાવવામાં આવતા પ્રિયંકા ગાંધી ખુદ ગેસ્ટહાઉસમાંથી બહાર તેઓને મળવા માટે બહાર બગીચામાં પહોંચ્યા ત્યારે પોલીસ સાથે બોલાચાલી બાદ પીડિત પરિવારની મહિલાઓને મળવા માટે આવવા દેવામાં આવી હતી.

પીડિત પરિવારની મહિલાઓએ પ્રિયંકા ગાંધીને જોતા જ રડવાનું શરૂ કરી દીધુ. મહિલાઓના દુ:ખ સાંભળતા જ પ્રિયંકા ગાંધી પણ ભાવુક થઈ ગયાં અને તેમની આંખો ભીની થઈ ગઈ. મહિલાઓ તેમનના ખોળામાં માથું મૂકીને રડવા લાગી હતી. પ્રિયંકા ગાંધીએ આ પરિવારોની માંગ સાંભળી સરકારને તાત્કાલિક સહાયતા તેમજ તેમની સુરક્ષા કરવા માટે માંગ કરી. આ સાથે જ કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને 10 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત પણ કરવામાં આવી. આ મુલાકાત સાથે જ પ્રિયંકા ગાંધીએ પોતાના ધરણા પણ ખતમ કર્યાં. ત્યાર બાદ તેઓ મહાકાલ અને વિશ્વનાથ મહાદેવના દર્શને પણ ગયા હતા.

આ સમગ્ર બનાવ બાબતે ઉત્તર પ્રદેશમાં કાયદા અને વ્યવસ્થા તંત્રની પોલ ખોલી નાખી તેમજ યોગી સરકારના એક ઉતાવળા અને ખોટા નિર્ણયના કારણે સમગ્ર ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસી કાર્યકરોમાં આંદોલનની એક લહેર દોડી જવા પામી હતી અને મૃત: પ્રાય બનેલી કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાઈ ગયા હતા. કોંગ્રેસના તમામ કાર્યકરો રસ્તા પર દેખાઈ રહ્યા હતા. આ મામલે યોગી સરકાર હાલ બેકફૂટ પર દેખાઈ રહી છે. અને અંતે યોગી સરકાર પણ પીડિતોને મળવા માટે જવાના હોવાના સમાચાર પણ આવી રહ્યાં છે. જોકે આ વાંચતા હસો યાન સુંધી યોગી સરકાર પીડિત પરિવારને મળી ચુકી હશે.