
રાહુલ ગાંધી દેશમાં એક મજબૂત વિપક્ષ તરીકે ઉભરી આવ્યા છે. કોરોના મહામારીમાં ફસાયેલા નાગરિકોની મદદ હોય કે પછી સરકારને સલાહ આપવાની વાત હોય દરેકમાં રાહુલ ગાંધી દ્વારા નોબેલ પારિતોષિક વિજેતા તેમજ અર્થશાસ્ત્રીઓ સાથે ચર્ચા વિચારણા બાદ સરકારને સલાહ આપી રહ્યા છે પરંતુ તેમની તમામ પ્રવૃત્તિને રાજકિય રંગ આપીને સત્તાપક્ષ અવગણના કરી રહી છે પરંતુ તેમણે જે સલાહ આપી હતી તેનું સરકાર આડકતરી રીતે પાલન કરી રહી છે. રાહુલ ગાંધી દ્વારા સૌથી પહેલા કોરોના મહામારી સામે પગલાં લેવાનું કહ્યું હતું પરંતુ સરકાર દ્વાર મોડા પગલાં લેવામાં આવ્યા હતા તેમજ રાહુલ ગાંધી દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર આપવાનું કહ્યું હતું અને ગઈ કાલે જ પ્રધાનમંત્રી મોદી દ્વારા કેટલાક રાજ્યોમાં ટેસ્ટિંગ વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે.

રાહુલ બાદ મનમોહનસિંહ પણ મોદી સરકારની નીતિ સામે વિરોધ નોંધાવીને તેમને જનનીતિ ઘડવા માટે જણાવી ચુક્યા છે. મનમોહનસિંહ પણ સમયે સમયે મોદી સરકારના કાન આમળી રહ્યા છે. મકનમોહનસિંહ દ્વારા ગઈ કાલે જ મોદી સરકારને દેશમાં આર્થિક સુધારાઓ કરવા માટે થોડીક સલાહ આપવામાં આવી હતી. તેમણે ત્રણ સલાહ આપતાંજણાવ્યું હતું કે, ૧) મોદી સરકાર સુનિશ્ચિત કરે કે લોકોની રોજગારી સુરક્ષિત રહે તેમજ રોકડ રકમ દ્વારા લોકોને ખર્ચ કરવા પૈસા પહોંચાડવામાં આવે. ૨) સરકાર દ્વારા ઉદ્યોગ ધંધાને બેઠા કરવા માટે ક્રેડિટ ગેરંટી પ્રોગ્રામ ચલાવવામાં આવે. ૩) નાણાંકીય સેક્ટરમાં સંસ્થાગત સ્વાયત્તતા અને પ્રક્રિયાઓની મદદથી સુધારો લાવવાનો રહેશે.

તો આ પહેલા પણ દેશના પૂર્વ નાણાંમંત્રી અને ગૃહમંત્રી પી. ચિદમ્બરમ દ્વારા મોદી સરકારને અનેકવાર સલાહ સૂચનો આપવામાં આવ્યા છે. ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ પણ મોટી આશંકા વ્યકત કરી છે. કોરોના મહામારીને કારણે દેશનો જીડીપી વિકાસ સ્વતંત્રતા પછીનો સૌથી ઓછો રહેવાનો ભય વ્યક્ત કર્યો છે. આ ઊપરાંત તેમણે જણાવ્યું છે કે સરકારે આર્થિક પ્રવૃત્તિઓને પાટા પર લાવવી જોઇએ અને લોકોએ કોરોના સાથે જીવવા માટે તૈયાર થઇ જવું જોઇએ. તેમજ સરકારે કેટલીક સાવચેતી સાથે દેશના અર્થતંત્રના દરેક સેકટરના દરેક એકમને પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધવાની મંજૂરી આપવી જોઇએ.

રાહુલ ગાંધી શરૂઆતથી જ કહેતા આવ્યા હતા કે લોકોને ડાયરેકટ કેશ મારફતે તેમના ખાતાંમાં સરકારે રોકડ રકમ અપવી જોઈએ અને લોકોને માં મહામારી સાથે મહામંદીમાંથી બહાર લાવવા માટે મદદ કરવી જોઈએ પરંતુ સરકારના કેટલાક નેતાઓ દ્વારા રાહુલ ગાંધીની દરેક વાતને હાશયસ્પદ બનાવવામાં આવે છે અને તેમની અવગણવા કરવામાં આવે છે પરંતુ આડકતરી રીતે મોદી સરકાર કેટલાક સૂચનો તો વિપક્ષના નેતાઓના માને છે. જેમાં પી. ચિદમ્બરમના 9 સુત્રીય કાર્યક્રમની વાત હોય કે રાહુલ ગાંધી ના કોરોના ટેસ્ટિંગ વધારવાની વાત હોય.
मोदी है तो मुमकिन है। pic.twitter.com/V1fS7nStIt
— Rahul Gandhi (@RahulGandhi) August 12, 2020
રાહુલ ગાંધીની વાતને વધારે બળ ત્યારે મળ્યું જ્યારે ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ પણ કોરોના મહામારીને કારણે દેશનો જીડીપી વિકાસ સ્વતંત્રતા પછીનો સૌથી ઓછો રહેવાનો ભય વ્યક્ત કર્યો. રાહુલ ગાંધી દ્વારા ઇન્ફોસિસના સ્થાપક એન. આર. નારાયણમૂર્તિ ના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે મોદી હૈ તો મુમકીન હૈ. રાહુલ ગાંધી દ્વારા રઘુરામ રાજન, અમર્ત્ય સેન, મનમોહનસિંહ અને પી. ચિદમ્બરમ જેવા અર્થશાસ્ત્રીઓ પાસેથી દેશને આર્થિક રીતે મજબૂત કરવા માટેના સલાહ સૂચનો સરકાર સુંધી પહોંચાડવામાં આવી રહ્યા છે પરંતુ તેના પર રાજનીતિ થાય છે.
આ પણ વાંચો
- રાહુલ ગાંધી નો શોટ ભાજપનો લોસ! ભાજપની છઠ્ઠ રઝળાવી કોંગ્રેસની ટાઢી સાતમ!
- રાજસ્થાન ભાજપ ધારાસભ્યોનું રિસોર્ટ પોલીટીક્સ! સીએમ રૂપાણી નો ઘટસ્ફોટ!
- હાર્દિક પટેલ નો ચૂંટણી લડવા હુંકાર! પેટા ચૂંટણી બાબતે કહી આ મોટી વાત! જાણો!
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ની રેલી સામે હાર્દિક પટેલ નો મોટો દાવ!
- ભાજપની આશા ઠગારી નીવડી! મોઢામાં આવેલો કોળિયો છીનવાયો!
- જાદુગરના કમાલે બચાવી રાજસ્થાન કોંગ્રેસ સરકાર! ગુજરાતમાં પણ બતાવેલો કમાલ! જાણો!
- કોંગ્રેસમાં મોટું ભંગાણ! મોવડીમંડળ ધંધે લાગ્યું, ભાજપ ગેલમાં આવ્યું!
- યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ની એપોઇન્ટમેન્ટથી આ લોકોમાં ફફડાટ!
- પેટા ચૂંટણી ને લઈને ભાજપમાં ગભરામણ! ભર ચોમાસે આવ્યો રાજકીય ગરમાવો!
- કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા ધારાસભ્યો ના ઘરના ના ઘાટના! ભાજપ માટે માથાનો દુઃખાવો?
- મુખ્યમંત્રી રૂપાણી નું “મને ખબર નથી” સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે ટ્રેન્ડ!
- TikTok પર બેન બાદ આ મોટી કંપનીની જાહેરાત TikTok કરતાં પણ સારું પ્લેટફોર્મ પુરૂ પાડશે!
- મુખ્યમંત્રીએ અમિત શાહ ને લીધા આડે હાથ! અમિત શાહને પૂછ્યું ચૂપ કેમ છો?
- ગુજરાતમાં પેટા ચૂંટણી નો ધમધમાટ! રાજકીય હલચલ શરૂ! આ તારીખે થશે મોટી જાહેરાત!
- રાજ્યસભા ચૂંટણી વખતે નાટક કરનાર છોટુ વસાવા અને તેમના પુત્રએ હવે નવું નાટક શરૂ કર્યું!?
- કેમ બાબાની બુટી કોરોનીલ ને સરકારી ના? થઇ પોલીસ ફરિયાદ! જાણો કેમ!
- ચીન સાથે ઘર્ષણ બાદ ભારતનો ભારતીય સેના તરફે મોટો નિર્ણય! ચીની સેનામાં ફફડાટ.