GujaratPolitics

રૂપાણી સરકાર ની ખુલી ગઈ પોલ! આ બાબતે ભેરવાઇ ગઈ ભાજપ સરકાર! જાણો

પરપ્રાંતીય પ્રવાસી મજૂરોને ઘરે જવા માટે હાલમાં જબરદસ્ત કોન્ટ્રોવર્સી ચાલી રહી છે. રાજનીતિની વચ્ચે પરપ્રાંતીય લોકો ફસાઈ ગયા છે તેવું લાગી રહ્યું છે. ત્યારે કેટલાક લોકો ચાલતા જ પોતાના વતન જવા માટે નીકળી પડ્યા છે. ધકધકતી ગરમી અને હજારો કિલોમીટરનો પગપાળા પ્રવાસ એ પણ નાના બાળકો સાથે આવા કેટલાય દ્રશ્યો આપણે જોઈ ચુક્યા છીએ ત્યારે તેમની મદદ કરવાની જગ્યાએ હાલ દેશમાં રાજકીય વાતો ચાલી રહી છે. કેટલાક રાજ્યો દ્વાર પોતાના રાજ્યના લોકોનો ખર્ચો ઉઠાવીને તને ઘરે લઈ આવવામાં આવ્યા છે જ્યારે કેટલાક રાજ્યોના લોકો હજુ અન્ય રાજ્યોમાં ફસાયા છે. ગુજરાતમાં રૂપાણી સરકાર ની પોલ ખુલી ગઈ છે.

રૂપાણી સરકાર, DK Shivakumar, કોરોના, corona, કોરોના મહામારી, રાહુલ ગાંધી, rahul gandhi
ફોટો સોશિયલ મીડિયા WHO

કેન્દ્ર સરકારના પરિપત્રો અસમંજસમાં મૂકી દે તેવા છે. પહેલા સમાચાર હતા કે પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવા માટે ભાડું ચૂકવવાનું રહેશે પરંતુ રાજકીય ગરમાવો આવ્યા બાદ મોદી સરકારે જાહેર કરવું પડ્યું કે સરકાર પરપ્રાંતીય લોકોને તેમના વતન પહોંચાડવા માટે કોઈ ભાડું વસુલસે નહીં. અને આ બાબતનો સરકારી પરિપત્ર પણ જાહેર કર્યો હતો. તો આ બાબતે ગુજરાતની રૂપાણી સરકાર ભરાઈ ગઈ છે. રૂપાણી સરકાર દ્વારા પણ જાહેર કરવામાં આવ્યું કે ગુજરાત સરકાર પરપ્રાંતીય લોકો પાસેથી ભાડું વસુલ્યું નથી અને તેમને મફત તેમના વતન મોકલવામાં આવ્યા છે. બસ કોંગ્રેસ નેતાઓ દ્વારા આ બાબતે રૂપાણી સરકારની પોલ ખોલી નાખી.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

સૌપ્રથમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે વિડીયોમાં ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમાર પ્રેસવાર્તા કારી રહ્યા છે. જેમાં તેઓ જણાવે છે કે, પરપ્રાંતીય લોકોને પોતાના વતન જવું હોય તો ટીકીટની વ્યવસ્થા તેમણે ખુદ કરવી પડશે. આ વીડિયો જાહેર થતાં રૂપાણી સરકાર ભીંસમાં આવી ગઈ તેમજ આ વીડિયો ઝડપભેર વાઈરલ થઈ ગયો. ત્યાબાદ આજ વિડીયો કોંગ્રેસ રાજ્યસભાના ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો અને સરકારને ઘેરવામાં આવી.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ આ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણી ને ચેલેન્જ આપતાં જણાવ્યું હતું કે, હું સંવેદનશીલ મુખ્યમંત્રીને એક સામાન્ય પડકાર ફેંકુ છું કે, બેરોજગારી અને ભૂખમરાથી પીડિત ગરીબ તથા શ્રમિક પરિવારોને, જો હાલ પર્યત શ્રમિક સ્પેશિયલ ટ્રેનો માં મફત મુસાફરી કરાવી હશે તો, હું મારા પદ પરથી રાજીનામું આપીશ અને જો સરકારે તેમની પાસેથી ભાડું વસુલ્યું હોય તો મુખ્યમંત્રી રાજીનામુ આપે. હું નહીં, કાં તો પછી તમે નહીં. પરેશ ધાનાણીના પડકાર બાદ રૂપાણી સરકાર ભીંસમાં મુકાઇ ગઈ છે તો આ બાબતે સરકાર પોતે પણ અસમંજસમાં છે કે કરવું શું!

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

તો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા દ્વારા આ બાબતે સરકાર દ્વારા સત્તાવાર જાહેર કરવામાં આ આવેલી ન્યુઝ રિપોર્ટ પોસ્ટ કરવાં આવી અને તેમના સત્તાવાર એકાઉન્ટ દ્વારા પણ આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો અને રૂપાણી સરકારની પોલ ખોલવામાં આવી. ભાજપ દ્વારા વારંવાર કહેવામાં આવતું હતું કે પરપ્રાંતીય લોકો પાસેથી કોઈપણ જાતનું ભાડું વસુલવામાં આવતું નથી જે બાબતે આ વીડિયો જાહેર થતાં રૂપાણી સરકારની બોલતી બંધ થઈ જાવા પામી છે સરકાર પાસે આ બાબતે કોઈ જવાબ નથી તો કોઈ સત્તાવાર સ્પષ્ટતા પણ સરકાર તરફથી આવી નથી.

રૂપાણી સરકાર
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાલમાં પ્રવાસી મજૂર કામદાર લોકોને તેમના વતન પહોંચાડવાની બાબતે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાઈ ગયું છે ત્યારે ગુજરાતમાં પણ રૂપાણી સરકારની મોટી ખામી સામે આવી છે. પરપ્રાંતિય શ્રમિકો પાસેથી તેમના વાતને જાવા માટે 710 જેટલા રૂપિયા વસુલવામાં આવ્યા છે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. તો આ બાબતે રૂપાણી સરકાર પાસે હાલતો કોઈ જવાબ નથી પરંતુ આ બાબતે કોંગ્રેસ નેતાઓ દ્વારા વીડિયો જાહેર કરવામાં આવતાં ગુજરાત ભાજપ સરકાર ખુલ્લી પડી ગઈ છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!