
સમગ્ર દેશમાં કોરોના મહામારી એ કોહરામ મચાવ્યો છે. રોજે રોજ કોરોના સંક્રમણના પોઝિટિવ કેસો વધતા જઇ રહયા છે. ભારતમાં હાલમાં 16,365 જેટલા પોઝિટિવ કેસો છે જ્યારે 521 લોકોના મોત થઈ ચૂક્યા છે. પરંતુ વિશ્વના અન્ય દેશો કરતાં ભારતમાં કોરોનાની ગતિ ધીમી છે તે ભારત માટે રાહતના સમાચાર છે. હાલ સમગ્ર વિશ્વમાં 2,332,036 જેટલા કોરોના વાયરસ સંક્રમણના પોઝિટિવ કેસો છે જ્યારે 160,767 લોકોના મોત નીપજી ચુક્યા છે સૌથી વધારે અમેરિકામાં 39,015 જેટલા નાગરિકોના મોત થઈ ચૂક્યા છે અને આંકડો સતત વધી રહ્યો છે. સમગ્ર વિશ્વની જેમ આપણાં દેશમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ છે.

આખું વિશ્વ કોરોના સામે એક જ મોરચે લડાઈ લડતું હોય તેવું લાગી રહ્યુ છે જ્યારે ભારત કેટલાય મોરચે લડાઈ લડી રહ્યું છે. એક તરફ ભારતે સમગ્ર વિશ્વને હાઇડ્રોક્સીકલોક્વીન આપીને માનવતા બતાવી જ્યારે હવે ભારતે કોરોના મહામારી સામે પ્રચંડ યુદ્ધ જાહેર કર્યું હોય તેમ પાછું વળીને જોતું નથી એક યોદ્ધાની માફક કોરોના મહામારી સામે અનેક મોરચે લડાઈ લડી રહ્યું છે.ગુજરાતમાં મોટી શોધ થઈ છે કોરોના વાયરસના જીનોમ સિક્વન્સ શોધી કાઢવામાં આવ્યા છે જેના કારણે કોરોના વાયરસની વેકસીન શોધવામાં સરળતા મળશે તેના બાદ ભારતના અન્ય એક રાજ્યએ સમગ્ર વિશ્વમાં પોતાનો અને દેશનો ડંકોવગાડી દિધો છે. સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ચાલી રહ્યું છે.

વાત છે ભારતના રાજ્ય છત્તીસગઢની. છત્તીસગઢનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહયો છે. હા તમે સાચું વાંચી રહ્યા છો. છત્તીસગઢ જબરદસ્ત રીતે કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યું છે. તે જોઈને વિશ્વના દેશો દ્વારા છત્તીસગઢનો સહયોગ માંગવામાં આવ્યો છે. અને છત્તીસગઢમાં કોરોના સંક્રમણ સામેની સફળતાનો મંત્ર માંગવામાં આવ્યો છે. કોરોના મહામારી સામે સમગ્ર વિશ્વ નતમસ્તક છે ત્યારે ભારત કોરોના મહામારી સામે છાતી કાઢીને લડી રહ્યું છે. ભારતના ડોકટરો કોરોના સંક્રમિત લોકોની સેવા કરી રહ્યા છે જ્યારે વૈજ્ઞાનિકો કોરોના વાયરસની દવા શોધી રહ્યા છે જેમાં સફળતા મળશે એ નક્કી છે. આ પહેલા WHO પણ કહી ચૂક્યું છે કે જેમ ભારતે પોલિયોને હરાવ્યો હતો તેમ ભારત કોરોનાને પણ હરાવવામાં વિશ્વને રાહ બતાવશે હાલ એવું જ કઈંક થઈ રહ્યું છે.

વાત એમ છે કે, સાર્ક દેશોના સમૂહ દ્વારા ભારતના છત્તીસગઢના વખાણ કરવામાં આવ્યા છે તેમજ તેમણે છત્તીસગઢ પાસેથી કોરોના મહામારી સામે લડાઈ લડવાનો પ્લાન માંગ્યો છે. ગત શુક્રવારે સાર્ક દેશોના 147 જેટલા દેશો સાથે વેબીનાર યોજાયો હતો જેમાં છત્તીસગઢની એમ્સ હોસ્પિટલ પાસે તેમની સફળતાનો મંત્ર માંગ્યો હતો જે સાર્ક દેશો પોતાની હોસ્પિટલમાં કોરોના સંક્રમણના ઈલાજ સામે અપનાવી શકે. આ વેબીનારમાં સાર્ક દેશોના ડૉકટરો દ્વારા ભારતના ડૉકટરોના પ્રયત્નોના વખાણ કર્યા અને કોરોના મહામારી સામે રાયપુર એમ્સના સહયોગ અને નેતૃત્વનો અનુરોધ કર્યો.

સાર્ક દેશોના ડૉકટરો એ જણાવ્યું હતું કે, ભારતમાં લોકડાઉન અને ડૉકટરોના જબરદસ્ત પ્રયત્નોના કારણે કોરોના પર કેટલાક અંશે નિયંત્રણ મેળવવામાં આવ્યું છે. જે અન્ય દેશોએ શીખવા જેવું છે. એમ્સ રાયપુરના નિર્દેશક પ્રોફેસ નીતિન એમ. નાગરકર દ્વારા સાર્ક દેશોના સમૂહને એમ્સ રાયપુર તરફથી તમામ સહાયતા અને લેબ પ્રેકટીસ તેમજ દર્દીઓના સંચાલન બાબતે તમામ મદદ કરવાની ખાતરી આપી. સાર્કના દેશો છત્તીસગઢના રાયપુરમાં આવેલી એમ્સના કામ દ્વારા જબરદસ્ત પ્રભાવીત થયા હતા અને સાર્કના દેશો માટે સહયોગ પણ માંગ્યો હતો. ભારત સરકારના વિદેશમંત્રાલય દ્વારા આ કાર્યક્રમ કરવામાંઆવ્યો છે જે આવતા ચાર દિવસ સુંધી ચાલશે.

ઉલ્લેખનીય છે કે, આપણા દેશમાં છત્તીસગઢ સૌથી પહેલું રાજ્ય છે જેણે અન્ય રાજ્યો કરતાં પહેલાં કોરોના સામે લડાઈ લડવાના પગલાં ભર્યા હોય. છત્તીસગઢ દ્વારા સૌથી પહેલા 13 માર્ચના રોજ તમામ શિક્ષણ સંસ્થાઓ, મોલ, સિનેમા થિયેટર, મંત્રલાયો બંધ કરી દીધા હતા. 15 માર્ચ ના રોજ પહેલો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને 18 માર્ચે પહેલો પોઝિટિવ કેસ મળ્યો હતો. આ દિવસે આખાય રાજ્યમાં અમે 144 લાગુ કરી દીધી હતી અને 21 માર્ચના રોજ આખાય રાજ્યમાં લોકડાઉન કરી દીધું હતું. છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભુપેશ બઘેલના કામની જબરદસ્ત પ્રશંસા થઈ રહી છે.

છત્તીસગઢમાં ભુપેશ બઘેલ દ્વારા કોરોના સામે પુરી તાકાત અને અન્ય રાજ્યો પહેલા શરૂઆત કરી દેવામાં આવી હતી જેના કારણે તેઓ આ સંક્રમણ સામે જબરદસ્ત રીતે લડત લડી શક્યા. હાલમાં 18 એપ્રિલ સુંધીમાં છત્તીસગઢમાં 36 કોરોના પોઝિટિવ કેસો છે જેમાં 25 સંપૂર્ણપણે રિકવર થઈ ગયા છે તેમને રજા આપી દેવામાં આવી છે અને માત્ર 11 જેટલાજ એક્ટિવ કેસ છે જેની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. તો કોરોના કારણે કોઈપણ જાનહાની હાલ સુંધીમાં છત્તીસગઢમાં થઈ નથી. છત્તીસગઢના રાયપુરમાં આવેલા એમ્સ હોસ્પિટલે વિશ્વમાં ભારતનો ડંકો વગાડી દિધો છે. વિશ્વ કોરોના સામે નતમસ્તક છે તો ભારત સામી છાતીએ લડે છે. અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો
- આ પણ વાંચો
- ભાજપ સરકાર હોવા છતાં ભાજપ સાંસદે કોંગ્રેસ નેતાની મદદ માંગી! કોંગ્રેસ નેતાએ જીત્યું દિલ!
- કોરોના: ગુજરાતને મળી સૌથી મોટી સફળતા! દેશનું પહેલું રાજ્ય બન્યું! જાણો!
- કોરોના મહામારી: ભાજપ પર હાર્દિક પટેલનો અત્યાર સુંધીનો સૌથી મોટો હુમલો!
- કોરોના મહામારી: રાજ્યમાં રાષ્ટ્રપતિ શાશન લાદવામાં આવે! રાષ્ટ્રપતિને અરજી! જાણો!
- હાર્દિક પટેલ નું સરકાર અને કોરોના મહામારી ને લઈને મોટું નિવેદન! જાણો!
- મુખ્યમંત્રીનું મોટું નિવેદન અમે રાહુલ ગાંધી ની સલાહ પ્રમાણે કામ કર્યું! થયું આવું! જાણો!
- નહીંતર આજે ભારત પણ ઇટલી હોત! જાણો કેવીરીતે રાજસ્થાન મોડેલે દેશ બચાવ્યો!
- અમેરિકન રાષ્ટ્રપતિની ધમકી પર હાર્દિક પટેલ ધુંઆપુઆ! આપ્યો કડક જવાબ! જાણો!
- કોરોના: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની ભારતને ધમકી! ભારતે આપ્યો કડક જવાબ? જાણો!
- ચીન ની ચાલ કે ભુલ? માહિતી છુપાવી અમેરિકામાં રચ્યો મોતનો ખેલ? જાણો!
- 5 એપ્રિલ નો જ દિવસ પીએમ મોદીએ કેમ નક્કી કર્યો? આ છે સાચું કારણ! જાણો!
- ચીન પર પ્રતિબંધ! વડાપ્રધાને કરી તૈયારી! વિશ્વના દેશો આવશે સાથે! જાણો!
- કોરોના મહામારી આ દેશોમાં હજુ કોરોના પહોંચી શક્યો નથી! હજુ પણ છે સેફ! જાણો