હાલમાં સમગ્ર વિશ્વને કોરોનાએ બંધક બનાવી લીધા છે. સાથે સાથે આપણાં દેશમાં પણ કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં રોજના 10 હજાર કરતા વધારે કેસો આવી રહ્યા છે. તમામ હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે. આરોગ્યને લાગતી તમામ વ્યવસ્થાઓની લગભગ લગભગ અછત સર્જાઈ રહી છે. ઇન્જેક્શન, ઓક્સિજન જેવા જીવન રક્ષિત મેડિસિનની અછત સર્જાઈ રહી છે બ્લેકમાર્કેટિંગે માઝા મૂકી છે ચારે બાજુ અફરાતફરી નો માહોલ છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા દરિયાદીલી બતાવવામાં આવી છે.
અમિત ચાવડા દ્વારા લોકડાઉનના સમયમાં પણ જનતાની વચ્ચે રહીને મદદ કરી હતી. તેમના વિધાનસભા મત વિસ્તાર સિવાય પણ તેઓએ સમગ્ર ગુજરાતમાં કામગીરી કરી હતી. લોકડાઉનના સમયમાં અમિત ચાવડા દ્વારા સમગ્ર રાજ્યના કોંગ્રેસી કાર્યકરો નેતાઓને જણાવ્યું હતું કે ભૂખ્યા ને માટે ભોજનની વ્યવસ્થા કરીને તેમને તેમના ઘર સુંધી પહોંચાડો. આ વ્યવસ્થાની દેખભાળ અને રિપોર્ટ ખુદ અમિત ચાવડા મેળવી રહ્યા હતા. અમિત ચાવડા દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયને એક કંટ્રોલ રૂમમાં ફેરવી દીધું હતું. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા પોતે પણ ગરીબો માટે ભોજન સામગ્રી તૈયાર કરવા માટે બેસી ગયા હોય તેવા દ્રશ્યો પણ નજર જોવા મળી રહ્યા હતા.
#COVID19 की विकट स्थिति में गरीब और जरूरतमंद लोगों को संक्रमण में निदान में जरूरी रेमेडीसीवीर इंजेक्शन #Covid_19 टेस्ट किट और आवश्यक मेडिकल सेवाओ को उपलब्ध कराने मेरी विधायक निधि में से तुरंत 10 लाख रुपये की राशि का आवंटन कर @CollectorAnd एवं DPO को जल्द से कारवाई करने हेतु आवेदन pic.twitter.com/DvElRmFLoS
— Amit Chavda (@AmitChavdaINC) April 18, 2021
આ સંકટની ઘડીમાં કોંગ્રેસના તમામ કાર્યકરો સંકટ સમયના સાથી બનીને ઉભરી આવ્યા છે. કોરોના વાયરસના વધતા જતા કેસો જોઈને ધારાસભ્ય અમિત ચાવડાએ તેમની વિધાનસભામાં જરૂરી સાધનો, મેડિકલ કીટ તથા સંસાધનો માટે તાત્કાલિક ૧૦ લાખ રૂપિયા જનતા માટે ફાળવી તંત્રને ઝડપથી વ્યવસ્થા અને કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. અમિત ચાવડાએ જનતા માટે કામગીરી કરવામાં કાયમ સૌથી આગળ રહી આદર્શ દાખલો પૂરો પડ્યો છે.
गुजरात मे कोरोना विस्फोट की चिंताजनक परिस्थिति में सरकार कर रही है उससे कई ज्यादा टेस्ट करने की जरूरत है, अगर सरकार क़ानूनी और वहीवटी मंजूरी देती है तो @INCGujarat जिम्मेदारीपूर्वक एंटीजेन टेस्ट केंद्र शुरू कर सकती है जिससे गुजरात के प्रजाजनों के हित मे एक उमदा प्रयास हो सकता है। pic.twitter.com/bVjHjRKtbv
— Amit Chavda (@AmitChavdaINC) April 15, 2021
હાલમાં અમિત ચાવડા એ એક નિર્ણય લીધો છે જે નિર્ણયે સમગ્ર રાજ્ય સાથે દેશના લોકોનું દિલ જીતી લીધું છે. આવો નિર્ણય લેનાર અમિત ચાવડા પહેલા રાજનેતા છે અને કોંગ્રેસ પાર્ટીમાં પણ આવો નિર્ણય કરનાર પોતે કોઈ રાજ્યના પ્રથમ પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. અમિત ચાવડા દ્વારા રાજીવ ગાંધી ભવન એટલે કે કોંગ્રેસ કાર્યાલયને કોવિડ કેર સેન્ટર બનાવવા માટે સરકારને આપવાની જાહેરાત કરી છે. તેમજ પ્રદેશ કાર્યાલય ને કોવિડ કંટ્રોલરૂમ બનાવવા માટે પણ સરકારને જણાવ્યું છે. આ સાથે સાથે અમિત ચાવડા દ્વારા સરકાર પાસે રેમડેસીવીર ઇન્જેક્શનની માંગણી કરી છે જેને તેઓ રાહત દરે જનતામાં વહેંચશે. હવે સરકારે નિર્ણય લેવાનો છે.
राजस्थान में @ashokgehlot51 जी की सरकार ने RTPCR टेस्ट के दर घटाकर 350 रुपए कर दी है, गुजरात से तो देश के प्रधानमंत्री और केंद्रीय गृहमंत्री है, फिर भी टेस्टिंग के लिए 800 से ज्यादा रुपये लेकर गुजरातीओ को लुटा क्यों जा रहा है ?@vijayrupanibjp जी तुरंत टेस्टिंग के दर 350₹ करे। https://t.co/4zj4fjzPsV
— Amit Chavda (@AmitChavdaINC) April 19, 2021
અમિત ચાવડા ના આ નિર્ણયની સમગ્ર દેશમાં પ્રશંશા થઈ રહી છે. પાર્ટી કાર્યાલયને કોવિડ કેર સેન્ટરમાં બદલવાના નિર્ણયને ચારેબાજુથી આવકાર મળી રહ્યો છે. એટલું જ નહીં અમિત ચાવડાએ જણાવ્યું છે કે આ બાબતે રાજ્યના તમામ શહેર જિલ્લાના કાર્યાલયોને પણ આપવાની જરૂર પડે તો અમે તૈયાર છીએ. જેટલું કોંગ્રેસ પાર્ટી જનતા માટે કરી શકશે એ તમામ કરવામાં અમે તૈયાર છીએ સરકાર ઓલ પાર્ટી મિટિંગ બોલાવે અમે રાજકીય મુદ્દાઓ બાજુએ મૂકી જનસેવા માટે સરકાર જે જવાબદારી આપે તે નિભાવવા તૈયાર છીએ. ગુજરાત કોંગ્રેસ સમગ્ર દેશમાં પ્રથમ રાજકીય પાર્ટી બની છે જેણે પોતાના પાર્ટી કાર્યાલયનો કોવિડ કેર સેન્ટર બનાવવાની જાહેરાત કરી છે.
"કોરોના મહામારીને રોકવા માટે, મ્હાત કરવા માટે, ગુજરાતની જનતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે સરકાર જે પણ પગલા લે તેમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સમર્થન કરશે.
— Gujarat Congress (@INCGujarat) April 12, 2021
અમારી માટે રાજકીય પક્ષાપક્ષીથી ઉપર ગુજરાતની જનતાનું સ્વાસ્થ્ય છે." – શ્રી @AmitChavdaINC #Gujarat pic.twitter.com/I3SyYtuk9S