કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગી નું ૧૨ ઓગસ્ટ સાંજે લાઈવ ડિબેટ દરમિયાન હ્યદય રોગનો હુમલો આવતાં અવસાન થયું હતું. ગઈકાલે સવારે તેમની અંતિમ ક્રિયા તેમના નિવસ્થાને કરવામાં આવી હતી. આ બાબતે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી દ્વારા શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી તેમજ રાજીવ ત્યાગીના પરીવારને સાંત્વના આપી હતી. ૧૨ ઓગસ્ટ સાંજે 5 વાગે એક પ્રાઇવેટ ચેનલ પર બેંગ્લોરમાં થયેલી હિંસાના મુદ્દે એક ડિબેટ માં ઉગ્ર ચર્ચા સમયે કોંગ્રેસ પ્રવક્તાની તબિયત લથડી ગઈ હતી અને તેમનું નિધન થયું હતું.
कॉंग्रेस ने आज अपना एक बब्बर शेर खो दिया।
— Rahul Gandhi (@RahulGandhi) August 12, 2020
राजीव त्यागी के कॉंग्रेस प्रेम व संघर्ष की प्रेरणा हमेशा याद रहेंगे।
उन्हें मेरी भावभीनी श्रद्धांजलि व परिवार को संवेदनाएँ। pic.twitter.com/9C0SNuFFYK
કોંગ્રેસ કાર્યકરોના મતે ભાજપ પ્રવક્તા દ્વારા કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગી પર વ્યક્તિગત આરોપ મુકવામાં આવ્યા હતા અને તે બાબતે જવાબ આપતી વખતે રાજીવ ત્યાગી ની તબિયત અચાનક બગડી અને તેઓ બેભાન થઈ ગયા હતાં. તેમના પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર અર્થે તેમને ગાઝિયાબાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં ત્યાં તેમને લગભગ 45 મિનિટ જેટલી ડોકટરી સારવાર આપવામાં આવી હતી પરંતુ તેઓ કોઈપણ રીસ્પોન્સ આપતાં ના હોઈ અંતે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
भारतीय राष्ट्रीय कांग्रेस के प्रवक्ता श्री राजीव त्यागी जी की असामयिक मृत्यु मेरे लिए एक व्यक्तिगत दुःख है। हम सबके लिए अपूर्णीय क्षति है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 12, 2020
राजीव जी विचारधारा समर्पित योद्धा थे। समस्त यूपी कांग्रेस की ओर से परिजनों को हृदय से संवेदना।
ईश्वर उनके परिवार को दुख सहने की शक्ति दें। pic.twitter.com/GpdsAeKwxo
કોંગ્રેસ પ્રવક્તા રાજીવ ત્યાગી ના મૃત્યુ બાદ રાજકીય ગરમાવો આવી ગયો હતો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા હિંસક, ઝેરફેલાવતી અને અતિ સંવેદનશીલ મુદ્દાઓ પર થતી ડિબેટને બંધ કરવા તેમજ કોંગ્રેસના પ્રવક્તાઓને આવી ડિબેટમાં ના મોકલવાની પણ માંગણી ઉચ્ચારવામાં આવી રહી છે. કેટલીક વાર આપણે પણ જોતાં હોઈએ છીએ ડિબેટમાં હાથાયપાઈ સુંધીની નોબત આવી જાય છે. પ્રવક્તાઓ દ્વારા પાર્ટી સુંધી સીમિત રહેવાને બદલે વ્યક્તિગત આરોપ લગાવવામાં આવે છે કેટલીક ડિબેટ નેતાઓ નેતાઓ વચ્ચે ઝઘડાઓનું મૂળ પણ બને છે.
#सुशांतसिंग राजपूत की आत्महत्या पर इतनी डिबेट हो रही है,अच्छी बात है
— Amit Chavda (@AmitChavdaINC) August 13, 2020
मेरा मानना है @RTforINDIA जी की मोत पर भी डिबेट और जाँच होनी चाहिए। https://t.co/QBVdWdPyx1
રાજીવ ત્યાગી ના આકસ્મિક મૃત્યુ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. અમિત ચાવડા એ ટ્વિટ કરીને રાજીવ ત્યાગીના આકસ્મિક નિધન બાબતે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. અન્ય એક ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, “સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પર ડિબેટ થઈ રહી છે, સારી વાત છે પણ મારું માનવું છે કે રાજીવ ત્યાગી જી ના મોત બાબતે પણ ડિબેટ અને તપાસ થવી જોઈએ.” ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા પણ આજ મુદ્દો ઉઠાવવામાં આવ્યો જે લાખો કોંગ્રેસ કાર્યકરો દ્વારા ટ્વિટર પર ઉઠાવવામાં આવી રહ્યો છે. યુપીમાં આ બાબતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.
कांग्रेस पार्टी के वरिष्ठ एवं सच्चे सिपाही राजीव त्यागी के निधन वाले समाचार सुनते ही मेरा गला सूख गया था। हे राम उनकी आत्मा को शांति दें। वर्ष 2015/16 में जब मैं जेल में था तब राजीव त्यागी ने मेरे पापा को फ़ोन किया था और मेरे पापा की हिम्मत बढ़ाई थी। निडर आदमी थे त्यागी। ॐ शान्ति
— Hardik Patel (@HardikPatel_) August 13, 2020
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા પણ રાજીવ ત્યાગી ના ઉમદા વ્યક્તિત્વને યાદ કરવામાં આવ્યા હતાં. હાર્દિક પટેલ દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, “કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અને સાચા સૈનિક રાજીવ ત્યાગીના સમાચાર સાંભળતાં જ મારું ગળું ફૂલી ગયું હતું. હે રામ તેમના આત્માને શાંતિ આપે. વર્ષ 2015/16 માં હું જેલમાં હતો ત્યારે રાજીવ ત્યાગીજીએ મારા પિતાને ફોન કર્યો હતો અને મારા પિતાને હિંમત આપી હતી. ત્યાગી નિર્ભય માણસ હતા. ॐ શાંતિ”
My letter to I&B Minister Sh @PrakashJavdekar Ji requesting him to issue an advisory to Media to enforce a Code of Conduct to curb Slanderous,Sensationalist & Toxic TV Debates-High time to reinforce civility & mutual respect for sake of well being of participants & democracy pic.twitter.com/z3ooQjbX5f
— Jaiveer Shergill (@JaiveerShergill) August 13, 2020
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ દ્વારા રાજીવ ત્યાગીન અપરિવારને સાંત્વના આપવામાં આવી હતી. તો કોંગ્રેસ નેતા મનીષ તિવારી દ્વારા ટ્વિટર માધ્યમથી વીડિયો જાહેર કરીને ટીવી ચેનલોને ડિબેટને ફોર્મેટ બદલવાની સલાહ આપી હતી. અન્ય કોંગ્રેસ નેતા જયવીર શેરગિલ દ્વારા I&B મિનિસ્ટર પ્રકાશ જાવડેકરને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં માંગ કરવામાં આવી હતી કે મિડિયાને એક એડવાયઝરી જાહેર કરવામાં આવે અને તેમાં સંવેદનશીલ મુદ્દાઓ પર તેમજ વ્યક્તિગત નિંદા, કટુતા અને હિંસા જેવી બાબત અંગે આચારસંહિતા લગાવવામાં આવે.
बेबाक आवाज़, जुझारूपन से लबरेज श्री राजीव त्यागी जी को विनम्र श्रद्धांजलि।
— Congress (@INCIndia) August 13, 2020
अंतिम यात्रा पर निकलते हुए भी राजीव त्यागी जी समाज को नफरत के खिलाफ जागृत कर गए।
नमन…🙏🙏#StopHatePolitics pic.twitter.com/7ZS9vz4UkS
આ પણ વાંચો
- ગુજરાત ભાજપ માં ભંગાણ! કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા નેતા 16 વર્ષે કોંગ્રેસમાં પાછા ફર્યા!
- લો હવે તો રાહુલ ગાંધી એ પણ કહ્યું મોદી હૈ તો મુમકીન હૈ! જાણો!
- રાહુલ ગાંધી નો શોટ ભાજપનો લોસ! ભાજપની છઠ્ઠ રઝળાવી કોંગ્રેસની ટાઢી સાતમ!
- રાજસ્થાન ભાજપ ધારાસભ્યોનું રિસોર્ટ પોલીટીક્સ! સીએમ રૂપાણી નો ઘટસ્ફોટ!
- હાર્દિક પટેલ નો ચૂંટણી લડવા હુંકાર! પેટા ચૂંટણી બાબતે કહી આ મોટી વાત! જાણો!
- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ની રેલી સામે હાર્દિક પટેલ નો મોટો દાવ!
- ભાજપની આશા ઠગારી નીવડી! મોઢામાં આવેલો કોળિયો છીનવાયો!
- જાદુગરના કમાલે બચાવી રાજસ્થાન કોંગ્રેસ સરકાર! ગુજરાતમાં પણ બતાવેલો કમાલ! જાણો!
- કોંગ્રેસમાં મોટું ભંગાણ! મોવડીમંડળ ધંધે લાગ્યું, ભાજપ ગેલમાં આવ્યું!
- યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ ની એપોઇન્ટમેન્ટથી આ લોકોમાં ફફડાટ!
- પેટા ચૂંટણી ને લઈને ભાજપમાં ગભરામણ! ભર ચોમાસે આવ્યો રાજકીય ગરમાવો!
- કોંગ્રેસ માંથી ભાજપ માં ગયેલા ધારાસભ્યો ના ઘરના ના ઘાટના! ભાજપ માટે માથાનો દુઃખાવો?
- મુખ્યમંત્રી રૂપાણી નું “મને ખબર નથી” સમગ્ર ભારતમાં થઇ રહ્યું છે ટ્રેન્ડ!
- TikTok પર બેન બાદ આ મોટી કંપનીની જાહેરાત TikTok કરતાં પણ સારું પ્લેટફોર્મ પુરૂ પાડશે!
- મુખ્યમંત્રીએ અમિત શાહ ને લીધા આડે હાથ! અમિત શાહને પૂછ્યું ચૂપ કેમ છો?
- ગુજરાતમાં પેટા ચૂંટણી નો ધમધમાટ! રાજકીય હલચલ શરૂ! આ તારીખે થશે મોટી જાહેરાત!
- રાજ્યસભા ચૂંટણી વખતે નાટક કરનાર છોટુ વસાવા અને તેમના પુત્રએ હવે નવું નાટક શરૂ કર્યું!?
- કેમ બાબાની બુટી કોરોનીલ ને સરકારી ના? થઇ પોલીસ ફરિયાદ! જાણો કેમ!
- ચીન સાથે ઘર્ષણ બાદ ભારતનો ભારતીય સેના તરફે મોટો નિર્ણય! ચીની સેનામાં ફફડાટ.



