ઉત્તર પ્રદેશ માં જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી રેલવે સ્ટેશન હોય કે શહેર જિલ્લા કે તાલુકાના નામ બદલવામાં આવી રહ્યાં છે હમણાંજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા અલ્લાહબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે.
https://twitter.com/hashtag/AajSeTumharaNaam?s=08
આ પહેલા પણ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મુગલસારાય રેલવે સ્ટેશનનું નામ બદલીને દિન દયાલ ઉપાધ્યાય રાખવામાં આવ્યું હતું. આમ વારે ઘડીએ બદલવામાં આવતા નામથી લોકો પરેશાન છે તેમજ ફેમસ અને આઇતિહાસિક ધરોહર પ્રાપ્ત થયેલા નામ બદલવામાં આવી રહ્યા હોવાથી જનતામાં રોષની લાગણી પણ છે જેને જનતા એ મેમ્સ દ્વારા વ્યક્ત કર્યો. તો કેટલાક યુઝર્સે ટ્વિટર પર પણ આવા મેમ્સ મૂકીને શેર કરીને રોષ વ્યકત કર્યો એટલુંજ નહીં #AajSeTumharaNaam ટ્વિટર પર ટોપ 10 માં ટ્રેન્ડ થવા લાગ્યું.
https://twitter.com/DesiPoliticks/status/1053197402931372032?s=08

