
રાષ્ટ્રીય પ્રેસ દિવસ દિવસે થોડી પ્રેસ અને મીડિયા બાબતે ચર્ચા વિચારણા.
આજે રાષ્ટ્રીય પ્રેસ દિવસ છે. રાષ્ટ્રીય પ્રેસ દિવસ (એનપીડી) દર વર્ષે 16 નવેમ્બરના રોજ ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસના પ્રતીક તરીકે પ્રેસ દિવસ ઉજવાય છે. પરંતુ આજના દિવસે અને આજના માહોલમાં આપણે જોઈએ તો શું મીડિયા પ્રેસ સ્વતંત્ર છે??!! પેઈડ મીડિયા, ફેક ન્યુઝ, પેઈડ ન્યુઝ વગેરે જેવા શબ્દોથી તો તમે વાકેફ હશોને? હશોજ હાલના સમયમાં આનું જ ચલણ વધારે છે.
પ્રેસ મીડિયા આઝાદ નથી હા આ એક હકીકત છે અને આ આઝાદી પેઈડ મીડિયા, ફેક ન્યુઝ, પેઈડ ન્યુઝ, રાજનૈતિક દાબદબાણ વગેરે જેવા કુલક્ષણોએ છીનવી લીધી છે. એટલેજ સારા સારા જર્નાલિસ્ટને ક્યારેક સાચી ખબર અથવા સરકાર વિરોધી ખબર કિસ્સા કે હકીકત બતાવતા સામ દામ દંડ ભેદ તમામ પ્રકારની નિતીરીતિ કરીને રોકવામાં આવે છે અને જો આ નિતીરીતિ પણ કારગર ના નીવડે તો તેમને જબરદસ્તી રજા પર ઉતારી દેવામાં આવે છે અથવાતો તેમનું રાજીનામુ લઇલેવામાં આવે છે કારણ માત્રને માત્ર આજ કુલક્ષણો છે. શું આને આપણે પ્રેસ મીડિયાની સ્વતંત્રતા આઝાદી ગણી શકીએ? તમેજ વિચારો અને જવાબ તમને જ આપો.
હા પ્રેસ મીડિયા પર બદલાતા સમય અને ટ્રેન્ડ મુજબ વિકાસ કરવાનો અને તેમની પર ટીઆરપી વધારવાનો કે વ્યુંવ્સ લાવવાનો માટેનું દબાણ પણ હોય છે જે સામાન્ય બાબત ગણી શકાય પણ આ ચક્કરમાં ચટપટા કે મસાલેદાર હેડિંગ સાથે ખબર બતાવવામાં આવે છે અને ક્યારેક ખબર બનાવવામાં પણ આવે છે. ખેર આતો એક ધંધો છે. ગંદો છે પણ ધંધો છે. ચૂંટણીના સમયે આ ધંધાનો આશ્ચર્યજનક રીતે વિકાસ થાય છે વિકાસ કયા અર્થમાં એ તમે સારી રીતે સમજો જ છો! હા અમુક સમાચાર વારંવાર બતાવવામાં આવે છે તો અમુકને સદંતર ઇગ્નોર કરવામાં આવે છે. હવે વારંવાર કેમ બતાવવામાં આવે છે તો એની પાછળ રાજકીય કારણ પણ હોઈ શકે છે અને એના માટે વિટામિન એમ જે સૌથી પાવરફુલ વિટામિન્સ ગણવામાં આવે છે એનો ડોઝ આપવામાં આવ્યો હોઇ શકે છે. આ અમુક સમાચાર વારંવાર બતાવવા પાછળ વોટનું ધ્રુવીકરણ કરવાનો કે મતદાતાનો મૂડ બદલવાનો મૂળ હેતુ હોય છે જે લોકશાહી માટે ખતરનાક સાબિત થઈ રહ્યું છે. આ પેઈડ ન્યુઝ તરીકે હાલ જાણીતું છે. અને અત્યારે ફેક ન્યુઝ પણ વધારે ચલણમાં છે અમુક મોટી મોટી ન્યુઝ ચેનલો કે ન્યુઝ પેપરો આ હથિયાર એમની ટીઆરપી વધારવા તેમજ વિટામિન એમ ના ડોઝ મેળવવા માટે કે મળી ગયા બાદ આને એક હથિયાર તરીકે વાપરે છે.
આગળ વધીએ તો ચાલો એક કિસ્સાની વાત કરીએ તો જ્યારે નોટબંધી થઈ ત્યારે એક અફવાહ બજારમાં જબરદસ્ત ફરતી હતી કે ₹2000ની નોટમાં નેનો ચિપ છે અને તે વધારે નાણાંના સ્ત્રોતને શોધી એક સિગ્નલ મોકલશે જેના દ્વારા કાળા નાણાને શોધી શકાશે આ એકદમ વાહિયાત અને ફેક ન્યુઝ હતા જેનો મકસદ અસલી મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો હતો અને લોકોને આમજ વિચારતા કરી દેવાનો હતો! બોલો છેને માયાજાળ તમેય ફસાયા હશો આવી કેટલીય માયાજાળમાં!
તો શું હવે સ્વતંત્ર પ્રેસ મીડિયા એક સ્વપ્ન સમાન છે?
હા, કહી શકાય અત્યારના સમયમાં તો આજ કહી શકાય કે મીડિયા અને પ્રેસ એ સ્વતંત્ર નથી. કરણ કે તે પેઈડ ન્યુઝ, ફેક ન્યુઝ, રાજકીય દાબદબાણ, વિટામિન એમ વગેરે જેવા કુલક્ષણોથી ઘેરાયેલું છે. અધૂરામાં પૂરું અઢળક વેબસાઈટ દ્વારા ગંદગી ફેલાવવામાં આવે છે જે રોકી શકાય એમ છે જ નહીં. રહીવાત ચેનલોની તો હવે એ પણ કોઈકના ઈશારે ચાલે છે એમ કહી શકાય હાલ તો!? બાકી રવીશ, અભિસાર કે પુણ્યપ્રસૂન ધુરંધરો અને શબ્દોમાં ખિલાડીઓના ઢોલ નગારા ક્યાંય બંધ થઈ ગયા અને એમાંના એકાદાના વાગતા હશે તો તેને પણ કોઈને કોઈ નીતિરિતિ વાપરીને આજ નહીં તો કાલે બંધ કરાવી દેવામાં આવશે જ એ નક્કી પરંતુ જો સાચેમાં આપણે મીડિયાને પ્રેસને સ્વતંત્ર રાખવું હોય તો આપણે ખુદ જાગવું પડશે સાચાને અને ખોટાને ઓળખવુ પડશે, કયા અને કેવા માહોલમાં ન્યુઝ બનાવવામાં આવે છે અને બતાવવામાં આવે છે એ જાતેજ વિચારવું પડશે બાકી તો હરિ હરિ. આમાં કેટલાય અપવાદ રૂપ પણ છે પણ આ જમાનામાં એમની પીપુડી વાગે એમ નથી.
હાલો તો હવે કનકલુઝન પર આવીએ આ છે હકીકત આજના પ્રેસ અને મીડિયાની આમાં અમે પણ આવી જ ગયા અમેય આ ન્યુઝને ફેલાવવા અને વ્યુંવ્સ લાવવા માટે અમે આને કેટલીય જગ્યાએ ફોરવડ કરીશું ફેલાવીશું અને વોટ્સઅપ ટ્વિટર ફેસબુક પર સ્પામ કરીશું અને વ્યુંવ્સ લાવીશું અમે પણ આ દલદલમાં ફસાયેલા જ છીએ. અમે પણ આજ સમાજ સોસાયટીના એક ભાગ છીએ. જેમ પહેલા કીધું એમ ગંદા હૈ પર ધંધા હૈ. બાકી આપ સૌને રાષ્ટ્રીય પ્રેસ દિવસ ની શુભકામનાઓ.
એ આવજો રામ રામ… ફિર મીલેંગે પઢતે પઢતે…