IndiaPolitics
Trending

સસ્પેન્ડેડ જવાન તેજ બહાદુરનો સૌથી મોટો ઘટસ્ફોટ નરેન્દ્ર મોદી સામે આ લોકો કરશે પ્રચાર!

બિએસફ ના સસ્પેન્ડેડ જવાન તેજ બહાદુર યાદવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે બનારસથી લોકસભા ચુંટણી લડવાના છે તે જાહેર કરી દીધું છે વધુમાં તેમણે જણાવ્યું કે ક્ષેત્રીય પાર્ટીએ પણ તેમને સમર્થન જાહેર કર્યું છે.

વારાણસી
ફોટો: સોશિયલ મીડિયા

રવિવારે વારાણસી પહોંચેલા સીમા સુરક્ષા દળ બીએસએફના સસ્પેન્ડેડ જવાન તેજ બહાદુર યાદવે કહ્યું કે, “લગભગ દશ હજાર પૂર્વ સૈનિક વારાણસી આવીને અસલી ચોકીદારના પક્ષમાં અને નકલી ચોકીદાર (પીએમ મોદી)ની વિરુદ્ધમાં પ્રચાર કરશે.”

વધુમાં તેજ બહાદુર યાદવે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, પીએમ મોદી જ્યારે પોતાનું ફોર્મ ભરવાનું જાહેર કરશે એના આગળના દિવસે તેઓ ફોર્મ ભરશે. અને તેમના આ નામાંકન રેલીમાં હજારોની સંખ્યામાં સૈન્યના જવાનો ભાગ લેશે.

વારાણસી
PTI Photo by Subhav Shukla

તેજ બહાદુર યાદવે જણાવ્યું હતું કે આ રેલીમાં સેના અને અર્ધસૈનિક દળોના જવાનો હશે જે જવાનોએ સેના અને અર્ધસૈનિક દળમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ ઉઠાવ્યો હતો અને તેના બદલામાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સાથે સાથે અનેક સામાજિક આગેવાનો, કાર્યકર્તાઓ જોડાશે.

વારાણસી
ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં તેમણે ઉમેર્યું કે, હું હાર જીત માટે નહીં પરંતુ પીએમ મોદીને આઈનો બતાવવા માટે ચુંટણીમાં તેમની સામે ઉતરીશ. જનતાને બતાવીશ કે પીએમ મોદી પોતાને સૈન્યના હિતેશી ગણાવે છે પરંતુ તેમના દ્વારા સૈનિકોને કરવામાં આવેલો એક પણ વાયદો નિભાવવામાં આવ્યો નથી.

વારાણસી
ફોટો: સોશિયલ મીડિયા

આ ઉપરાંત તેમણે કહ્યું કે, પૂર્વ સૈનિક બનારસમાં ઘરે ઘરે ફરીને પીએમ મોદીની આ સચ્ચાઈ જનતા સમક્ષ લાવશે અને જનતને સચ્ચાઈ ખબર પડશે ત્યારે જનતા અમારી સાથે થઈ જશે.

વધારે વાત કરતાં તેજ બહાદુર યાદવે કહ્યું કે વારાણસી માં અમને ક્ષેત્રીય પાર્ટીઓનું સમર્થન મળ્યું છે જેમાં આમ આદમી પાર્ટી, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી, જનશક્તિ પાર્ટી વગેરે પાર્ટીઓએ સમર્થન આપ્યું છે નો દાવો કર્યો હતો.

વારાણસી
ફોટો: સોશિયલ મીડિયા

બીજો એક દાવો કરતાં કહ્યું કે વારાણસી માં સમર્થન માટે સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પણ વાત ચાલી રહી છે તેમજ સૈનિક સંગઠનનો પણ સહયોગ મળશે. હું ખેડૂત પુત્ર છું મારી પાસે તેમના જેટલા પૈસા નથી પણ હું ઘેર ઘેર જઈને મારો પ્રચાર ખુદ કરીશ.

વારાણસી
ફોટો: સોશિયલ મીડિયા

એટલુંજ નહીં તેજ બહાદુર યાદવ દ્વાર જણાવવામાં આવ્યું કે, અમારા મુદ્દામાં યાદવ રેજીમેન્ટ માટે સંસદમાં અવાજ ઉઠાવવામાં આવશે, સેના અને અર્ધસૈનિક દળમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર રોક લગાવવામાં આવશે તેમજ અર્ધસૈનિક દળના શાહિદ જવાનોને શાહિદનો દરજ્જો તેમજ જૂની પેન્શન પ્રણાલી વગેરે જેવા મુખ્ય મુદ્દા રહેશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!