GujaratPolitics

હાર્દિક પટેલ નો સપાટો! નરેશ પટેલ સહિત પાસ નેતાઓ બાબતે વહેતી થઈ ચર્ચા!

ઘણા સમયથી પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ મામલે સમાચારો વહેતા થયા છે કે તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાઈને સેવા કરશે. આ બાબતે ગુજરાતની દરેક પાર્ટીએ તેમને આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી એ પણ નરેશ પટેલ ને તેમની પાર્ટી સાથે જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. તો ક્યાંક તો દિલ્લી થી પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હવે હાર્દિક પટેલ નું નામ પણ આ ચર્ચામાં જોડાઈ ગયુ છે. જો કે હાલ માં જ્યાં સુંધી નરેશ પટેલ મગનું નામ મરી પાડે નહીં ત્યાં સુંધી આ બધી અફવાહ જ ગણી શકાય. અન્ય એક ચર્ચાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. હવે આ ચર્ચાનું મુખ્ય કેન્દ્રબિંદુ હાર્દિક પટેલ બની ગયા છે. નરેશ પટેલ બાબતે હાર્દિક પટેલ મોટી ભૂમિકા ભજવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલના સક્રિય રાજકારણ પર હજુ કોઈ મહોર લાગી નથી. દરેક પાર્ટી તરફથી આમંત્રણ આવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ આ એ આમ આદમી પાર્ટી દ્વારા આમંત્રણ આવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલા નિવેદન, પાટીદાર નેતા અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ ભાજપ સાથે રહેશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં આગળ વધશે. રાજકારણમાં પ્રવેશ કરવો કે કેમ તેમજ કયા પક્ષમાં નરેશ પટેલ જશે તેમનો વ્યક્તિગત નિર્ણય હશે. પરંતુ મને શ્રદ્ધા છે કે નરેશભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આમંત્રણ આપવામાં આવેલ તે બાબતે નરેશ પટેલે જણાવ્યું કે રૂપાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. પરંતુ જે પણ નિર્ણય હશે એ મીડિયાના માધ્યમ દ્વારા દરેક સુંધી પહોંચાડવામાં આવશે. નરેશ પટેલ દ્વારા આપવામાં આવેલ નિવેદન ને સૂચક ગણી શકાય છે.

હાર્દિક પટેલ
ફોટો સોશિયલ મીડિયા

નરેશ પટેલ દ્વારા હાલમાં સક્રિય રાજકારણમાં પ્રવેશ અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. નરેશ પટેલ ને સક્રિય રાજકારણમાં આવવા અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે સૌથી પહેલા હાર્દિક પટેલ દ્વારા જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે જબરદસ્ત ચર્ચાઓ જામી છે કે હાર્દિક પટેલ દ્વારા નરેશ પટેલ સહિતના તમામ પાસ કાર્યકરો અને પાટીદાર નેતાઓને કોંગ્રેસ પક્ષમાં લઈ જઈને એક જૂથ કરવામાં આવશે. ત્યારે પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસાં જોડાય તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ફરી એક વખત પાસ નેતાઓ કોંગ્રેસમાં એક જૂથ થાય તેવી ચર્ચાઓ ચારેબાજુ થવા લાગી છે. હાર્દિક પટેલ દ્વારા તમામ પાસ નેતાઓને કોંગ્રેસમાં લાવવાના તર્ક વિતર્કની ચર્ચઓએ જોર પકડ્યુ છે.

આ પહેલાં પણ જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી કન્યા છાત્રાલયમાં લેઉવા પાટીદાર સમાજની બેઠક મળી હતી અને આ બેઠક પહેલાં એવા સમાચારો વહેતા થયાં હતાં કે આ રાજકીય મિટિંગ છે, શક્તિ પ્રદર્શન છે પરંતુ જયેશ રાદડિયા અને નરેશ પટેલ દ્વારા જાહેરમાં જણાવ્યું હતું કે આ મિટિંગ એકદમ સામાજિક છે તદ્દન બિનરાજકીય છે. સમાજના જ લોકો ભેગા થયાં છે કોઈપણ પ્રકારની રાજકીય વાતો કેનિવેદન બાજી થશે નહીં. ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે નરેશ પટેલ ભાજપ માં જોડાઈ શકે છે. આમ જ્યાં સુંધી નરેશ પટેલ પકતે કોઈ નિર્ણય નહીં લે ત્યાં સુંધી ગુજરાતના ચોરે અને ચોકે ચર્ચાઓ ચાલુ જ રહેશે.

જણાવી દઈએ કે, પાટીદાર અગ્રણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગેની અટકળો ચાલી રહી છે. અને આ અટકળો અંગે નરેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેઓ રાજકારણમાં આવશે કે નહીં તે બાબતે 30 માર્ચ સુધીમાં પોતાનો નિર્ણય લેશે અને જણાવશે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે રાજકારણમાં જોડાવા બાબતે જે પણ નિર્ણય લેવામાં આવશે તે નિર્ણય સમાજને પૂછીને જ લેવામાં આવશે અને પછી જ હું રાજકારણમાં આવીશ. આ પહેલાં નરેશ પટેલ દ્વારા આપવામાં આવેલ એક નિવેદન માં જણાવ્યું હતું કે, રાજનીતિમાં જઈશ. સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ. નરેશ પટેલનું નિવેદન સૂચક ગણી શકાય.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!