રાજસ્થાન માં મંત્રી મંડળનો વિસ્તાર, ગેહલોત સરકારના 23 મંત્રીઓએ લીધા શપથ. તેમાં 13 કેબિનેટ કક્ષાના ને 10 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થયો.
રાજસ્થાન માં મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતના મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવ્યો છે. મંત્રીમંડળના વિસ્તારમાં 23 મંત્રીઓએ શપથ લીધા છે. મંત્રીમંડળમાં 22 કોંગ્રેસના ધારાસભ્યો અને એક રાષ્ટ્રીય લોકદલમાં ધારાસભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં 13 સભ્યોએ કેબિનેટ કક્ષાના અને 10 સભ્યોએ રાજયમંત્રી તરીકેના શપથ લીધા છે.

રાજસ્થાન માં મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોતના મંત્રીમંડળને રાજ્યપાલ શ્રી કલ્યાણ સિંહે શપથ ગોપનીયતાના લેવડાવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત અને ઉપ મુખ્યમંત્રી શ્રી સચિન પાઇલોટ હજાર રહયા હતા.

રાજસ્થાન કેબિનેટ મંત્રી
બીડી કલ્લા (બિકાનેર)
શાંતિ ધારીવાલ (કોટા ઉત્તર)
રસાદી લાલ મીણા (લાલસોટ)
મસ્ટર ભંવરલાલ મેઘવાલ (સુજાનગઢ)
લાલચંદ કટારીયા (ઝોટવાડા)
ડૉ રઘુ શર્મા (કેકડી)
પ્રમદ જૈન ભાયા (અંતા)
વિશ્વદ્ર સિંહ (ડિગ-કુમ્હેર)
હરશ ચૌધરી (બાયતૂ)
રમેશ મીણા (સપોટરા)
ઉદલાલ આંજના (ચિત્તોડગઢ)
પ્રતપ સિંહ (સિવિલ લાઈન્સ)
સાલેહ મોહમ્મદ (પોખરણ)
રાજ્યમંત્રી અને સ્વતંત્ર પ્રભાર
અર્જુન સિંહ બામનીયા (બાંસવાડા)
ભંવર સિંહ ભાટી (કોલયત)
સુખરામ વિશ્ર્નોઈ (સાંચોર)
ટીકારામ જૂલી (અલવર ગ્રામીણ)
ભજનલાલ જાટવ (વૈર)
અશોક ચાંદના (હિંડોલી)
લક્ષ્મણ ગઢ (સીકર)
ગોવિંદ સિંહ (ડોટાસરા)
મમતા ભૂપેશ (સિકરાય)
રાજેન્દ્ર સિંહ યાદવ (કોતપુતલી)
સુભાષ ગર્ગ (ભરતપુર) (આર એલ ડી)
મંત્રી મંડળમાં નવા ચેહરાઓની વાત કરીએ તો લાલ ચંદ, રઘુ શર્મા, વિશ્વેદ્ર સિંહ, હરીશ ચૌધરી, રમેશ મીણા, પ્રતાપ સિંહ, ઉદયલાલ આંજણા, સાલેહ મોહમ્મદ, ગોવિંદ ડોટાસરા, મમતા ભૂપેશ, અર્જુન બામનીયા, ભંવર સિંહ, સુખરામ વિશ્ર્નોઈ, અશોક ચાંદના, ટિકરામ જૂલી, ભજનલાલ, રાજેન્દ્ર યાદવ, શુભાષ ગર્ગ વગેરે નો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન માં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે. રાજસ્થાનની સરકાર પરિવર્તનશીલ છે માટે દર પાંચ વર્ષે સરકાર બદલી નાખે છે. આ વખતે કોંગ્રેસે ભાજપ પાસેથી રાજસ્થાન આંચકી લીધું છે અને કોંગ્રેસને આશા છે કે આ પાંચ વર્ષ બાદ ઓણ કોંગ્રેસ ફરીથી સરકાર બનાવશે તેમજ આગામી લોકસભા ચુંટણીમાં પણ કોંગ્રેસ રાજસ્થાન માંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.