
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. એમ પણ ખાસ પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ પર સૌની નજર છે. ભાજપના દરેક નેતાઓ ઉત્તર પ્રદેશ માં ચૂંટણી પ્રચાર અર્થે પોચી ગયા છે અને ફરી યુપીમાં ભાજપ સરકાર લાવવા માટે મથી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણી પ્રચાર પણ ચાલી રહ્યો છે. આ ક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્ર સરકારમાં મંત્રી નીતિન ગડકરી બુધવારે જાહેર સભા કરવા પ્રયાગરાજ પહોંચ્યા હતા. ભકજપના દરેક નેતા જાત જાતની જાહેરાતો કરી રહ્યા છે.નીતિન ગડકરી એ ગુજરાતના જેવું જ સી પ્લેન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં આવશે તેવી જાહેરાત કરી હતી. સાથે જ તેમણે કહ્યું કે મારા વિભાગ પાસે પૈસાની કોઈ કમી નથી, મેં લાખો કરોડના કામો કર્યા છે.

પ્રયાગરાજમાં જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “મેં કેશવજીને કહ્યું છે કે અમે પ્રયાગરાજમાં હવામાં ચાલતી બસો ચલાવીશું અને અમે તેનો ડીપીઆર તૈયાર કરી રહ્યા છીએ. મારી પાસે પૈસાની કમી નથી, હું કરોડોમાં બોલું છું. મારા પત્રકાર ભાઈઓ પણ મને કંઈ પૂછી શકતા નથી કારણ કે હું જે કહું તે લખો. મારી પાસે દ્રૌપદીની થાળી છે, અમે 50 લાખ કરોડના કામો કર્યા છે. અમારો કાર્યક્રમ ભારત માતાની પ્રગતિ અને વિકાસ કરવાનો છે. અમને જીતાડીને મોકલો અને અમને મોકલો, અમે ઉત્તર પ્રદેશનું ભવિષ્ય બદલીશું. ભાજપ સાથે સાથે અન્ય પાર્ટીઓએ પણ આવણેક વાયદાઓ કર્યા છે.

જાહેર સભાને સંબોધતા નીતિન ગડકરીએ સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા કહ્યું, “જ્યારે સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારે શું 500 કરોડના રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા હતા? પ્રયાગરાજના ફાફામૌમાં ફેબ્રુઆરી 2024 સુધીમાં બે હજાર કરોડના ખર્ચે 6 લેનનો પુલ બનાવવામાં આવશે. જે પુલ બનાવવામાં આવશે તેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવશે, કારણ કે તેના પર ફરતી રેસ્ટોરન્ટ બનાવવામાં આવશે અને નદીની ગેલેરી પણ બનાવવામાં આવશે. જાહેર સભા બાદ નીતિન ગડકરીએ પ્રયાગરાજમાં બીજેપી મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.

નીતિન ગડકરીએ પણ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું, “અમે અત્યાર સુધીમાં ત્રણ લાખ કરોડના કામો કર્યા છે અને આગામી 5 વર્ષમાં અમે કોઈપણ પરિસ્થિતિમાં પાંચ લાખ કરોડના કામ કરીશું. જ્યારે 5 લાખ કરોડના કામો થશે ત્યારે ઉત્તર પ્રદેશના રસ્તાઓ અમેરિકાના રસ્તાઓની બરાબરી પર હશે. જણાવી દઈએ કે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પંભજપ દ્વારા આવણેક વાયદાઓ કારવામાં આવ્યા હતા 100 દિવસમાં કાળું નાણું, 15 લાખ, પેટ્રોલ સસ્તું, 1 રૂપિયા બરાબર 1 ડોલર વગેરે જેમાં બાદમાં અમિત શાહ દ્વારા 15 લખવાળા વાયદાને જુમલો ગણાવ્યો હતો. ચૂંટણીમાં નેતાઓ કોઈપણ જાતના વાયદાઓ કરી ને સત્તામાં આવ્યા બાદ જુમલો કહી ને ત્યાં જ વાર્તા પુરી કરી દે છે.

જણાવી દઈએ કે ભાજપે ઉત્તર પ્રદેશ માં ફરીથી સત્તામાં આવવા માટે વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. મોદી સરકારનું સમગ્ર કેબિનેટ ઉત્તરપ્રદેશની ચૂંટણીના પ્રચારમાં આવી ગયું છે અથવા તો આવવાનો પ્લાન તેમને મળી ગયો છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ અને બીજા તબક્કા માટે અનુક્રમે 10 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. જ્યારે 20 ફેબ્રુઆરીએ ત્રીજા તબક્કા માટે મતદાન થશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.