IndiaPolitics

ફડણવીસ સરકાર પાડવામાં અને અજિત પવારને પાછા લાવવામાં શરદ પવાર ની નહીં પણ આ વ્યક્તિની છે મોટી ભૂમિકા! જાણો!

મહારાષ્ટ્રમાં આજે સાંજે ઉદ્ધવ ઠાકરે આખરે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે પરંતુ તે પહેલાં મહારાષ્ટ્રની રાજનીતિમાં અને કદાચ દેશની રાજનીતિમાં છેલ્લા દિવસોમાં જે થયું તે પહેલીવાર થયું છે. રાતોરાત સરકાર બની ગઈ અને ત્રીજા દિવસે સરકાર પડી પણ ગઈ. એટલું જ નહીં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે જે પાર્ટીઓ એક બીજા સાથે 30 વર્ષથી સાથે હતી તે સામસામે આવી ગઈ અને જે પાર્ટી 30 વર્ષથી એકબીજા સામે લડી રહી હતી અને એકબીજાના ધુરવીરોધી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સાથે આવીને મહારાષ્ટ્ર વિકાસ આઘાડી નું ગઢબંધન બનાવી સરકાર બનાવવા જઈ રહી છે.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં બધુજ રાબેતામુજબ હતું ભાજપ અને શિવસેનાના ગઢબંધનને મેન્ડેટ મળ્યો હતો અને બહુમતી સાથે સરકાર બનાવવી શકે તેમ હતા પરંતુ ભાજપે ગઢબંધન ધર્મનું પાલન ના કરતાં મહારાષ્ટ્રમાં રાજકીય ધરતીકંપ સર્જાયો હતો. શિવસેના અને ભાજપ જે 30 વર્ષથી એકબીજા સાથે હતા અને ખભાથી ખભો મિલાવીને લડતા હતા તે આજે એકબીજાની સામે આવી ગયા હતા. શિવસેના અઢીવર્ષ માટે શિવસેના માટે મુખ્યમંત્રી પદ માંગતા હતાં જે તેમની ગઢબંધન પૂર્વેની શરત હતી પરંતુ ભાજપે આ માંગ ચૂંટણી જીત્યા બાદ માની નહીં. અને અંતે વિધાનસભા હંગ થઈ જાય તેવી પરિસ્થિતીનું નિર્માણ થયું.

ઉદ્ધવ ઠાકરે
ફોટો: સોસીયલ મીડિયા

આ રાજકીય હુંસાતુંસીમાં ત્રણેય પાર્ટીને એક છત નીચે લાવનાર શરદ પવાર દ્વારા એનસીપી કોંગ્રેસ શિવસેના સાથે લાવી અને વાટાઘાટો શરૂ કરાવી ત્યાં સુંધીમાં તો ગવર્નર દ્વારા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લગાવી દેવામાં આવ્યું! ત્રણેય પાર્ટીઓ કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ સહમત થઈ અને સાંજે સરકાર બનાવવાની જાહેરાત કરી ત્યારે બીજે દિવસે સવારે ભાજપે એટલે કે દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એનસીપીના અજીત પવાર સાથે મળીને સરકાર રચી નાખી અને મુખ્યમંત્રી પદના શપથ પણ લઈ લીધા હતા! લોકો કશું સમજે તે પહેલા અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવી ચુક્યા હતા.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

હવે આવ્યો મહારાષ્ટ્રના પોલિટિક્સમાં પોલિટિકલ ટ્વિસ્ટ! અજીત પવાર લગભગ 30 જેટલા ધારાસભ્યો સાથે શપથ ગ્રહણમાં પહોંચ્યા હતાં. શરદ પવારે સવારે જાહેરાત કરી કે અજીત પવારે પોતાની રીતે નિર્ણય લીધો છે પાર્ટી ને આની સાથે કોઈ લેવા દેવા નથી. જે ધારાસભ્યો ગયા છે તે પાછા આવી જાય. ધીમે ધીમે ધારાસભ્યો પાછા આવતાં ગયા. અજીત પવારને પાછા લાવવા માટે શરદ પવાર ની પુત્રી સુપ્રિયા સુલેએ જવાબદારી સ્વીકારી અને કાકાને પાછા લાવીને ફડણવીસ સરકારને પાડવાની તૈયારી બતાવી. શરદ પવારે હામી ભરી અને સુપ્રિયાએ કાકાને ઇમોશનલ ટચ સાથે વાત કરી મુલાકાત કરી અને ભાજપની ગેમ કરી.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

સુપ્રિયા સુલે વર્ષ 2006માં રાજકારણમાં આવ્યા પરંતુ તેઓ આ પહેલા તેમના પિતા શરદ પવાર ના કામકાજને ખુબજ ઝીણવટપૂર્વક જોતા હતા અને રાજનીતિના ઉઠપઠાક શીખતાં હતા. અજીત પવારને પાછા લાવીને ફડણવીસ સરકારને પાડવાનું મોટું ઓપરેશન સુપ્રિયા સુલે એજ કર્યું છે. એટલું જ નહીં સુપ્રિયા સુલેને ઠાકરે પરિવાર સાથે ઘરજેવા સંબંધ છે. તેઓ ઉદ્ધવ ઠાકરેના પત્ની સાથે અવારનવાર મળે છે અને ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રીની પણ વારે તહેવારે મુલાકાત લે છે. તેનું કારણ બાલાસાહેબ ઠાકરેએ કરેલી મદદ છે. વર્ષ 2006થી આજ સુંધી શિવસેના દ્વારા સુપ્રિયા સુલે સામે કોઈ ઉમેદવાર ઉભા રાખવામાં આવતા નથી કારણ કે બાલાસાહેબ સુપ્રિયાને તેમની પુત્રી ગણતા હતા.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

સુપ્રિયા એ ચાર દિવસમાં પોતાનું કામ પડદા પાછળ રહીને પૂરું કર્યું અને તમામ ક્રેડિટ તેમના પિતા શરદ પવારને આપીને પોતાને રાજનીતિની એક માંઝી ખિલાડી સાબિત કરી દીધી છે. સુપ્રિયા સુલે હવે શરદ પવાર બાદ તેમની રાજકીય વારીષ બની ગયા છે. અને પવાર બાદ સુપ્રિયા એનસીપીમાં બીજું પવાર સેન્ટર બની ગયા છે. આગામી સમયમાં તેમની કાબેલિયને ધ્યાનમાં રાખીને એનસીપીમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. જોકે શિવસેના એનસીપી અને કોંગ્રેસ વચ્ચે તાલમેલ લાવવામાં પણ સુપ્રિયાની મહત્વની ભૂમિકા છે. સુપ્રિયા હાલતો લોકસભા સાંસદ છે પરંતુ મહારાષ્ટ્રના રાજકારણમાં આગળ સુપ્રિયા શું રોલ ભજવે છે તે જોવું રહ્યું.

શરદ પવાર
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!