મધ્યપ્રદેશ માં પોતાના જ ૪ બાગી બનેલા ધારાસભ્યોને સમર્થનથી કોંગ્રેસ બહુમત માં
મધ્યપ્રદેશ માં કોંગ્રેસ ભલે બહુમત થી બે સીટ દૂર રહી હોય, પરંતુ પાર્ટીના ચાર બાગી નેતાઓએ સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે જેથી કોંગ્રેસે બહુમત મેળવી લીધી છે. અને બહુમત થી વધારે બે ધારાસભ્ય વધારે થઈ ગયા છે. એટલે કે 118 જેટલી કોંગ્રેસની વિધાનસભા માં સંખ્યા થઈ જાવા પામી છે.
મધ્યપ્રદેશ માં બીએસપી ને બે સીટ પર જીત મળી છે જ્યારે સમાજવાદી પાર્ટીને એક સીટ પર જીત મળી છે સમાજવાદી પાર્ટી પહેલાજ જાહેર કરી ચુકી હતી કે અમે કોંગ્રેસને સમર્થન આપીશું ત્યારે હવે બીએસપીએ પણ કોંગ્રેસને સરકાર બનાવવા માટે સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે.
કોંગ્રેસ પાસે હવે 121 ધરસભ્યોનું સમર્થન થઈ ગયું છે. અપક્ષ લડેલા પાર્ટીના ચાર બાગી ઉમેદવારો કોંગ્રેસમાં પાછા આવવા તૈયાર છે. આ ચારેય ઉમેદવારોએ ટિકિટ ના મળતાં અપક્ષ લડવાનો નિર્ણય કર્યો હતો.
આ ચાર ધારાસભ્યોમાં બુરહાનપુર સીટથી ઠાકુર સુરેન્દ્ર નવલ સિંહ, સુસનેર સીટથી વિક્રમ સિંહ રાણા, ખરગોન સિટથી કેદાર ડાવર અને વારાસિવની સિટથી પ્રદીપ જયસવાલ છે.
- ઠાકુર સુરેન્દ્ર સિંહ નવલ કોંગ્રેસના બાગી નેતા છે કહેવાય છે કે જ્યોતિરદિત્ય સિંધિયા સાથે અનબનના કારણે આવખતે ટિકિટ કપાઈ હતી જેના પછી તેમણે અપક્ષ લડવાનો નિર્ણય લીધો હતો. અને ભાજપના અર્ચના ચિટનીસને હરાવ્યા હતાં.
ઠાકુર સુરેન્દ્ર સિંહ નવલ ઉર્ફ શેરા ભૈયાએ બુરહાનપુરથી અપક્ષ ઉમેદવારી કરી હતી. તેમણે ભાજપના અર્ચના ચિટનીસને 5120 વોટ થી હરાવ્યા હતા. આ સીટ પાર કોંગ્રેસ ત્રીજા નંબર પર રહી હતી. કોંગ્રેસના ઉમેદવારને 15369 જેટલા વોટ મળ્યા હતા. 2013 માં ભાજપના અર્ચના ચિટનીસ 22000 મતોથી જીત્યા હતા.
- વિક્રમ સિંહ રાણા કોંગ્રેસના બાગી નેતા છે ટિકિટ ના મળવાના કારણે તેમણે કોંગ્રેસ માંથી રાજીનામુ આપીને સુસનેર થી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. વિક્રમ સિંહ રાણાએ કોંગ્રેસના જ મહેન્દ્ર ભૈરો સિંહને ખુબજ મોટા માર્જિનથી હરાવ્યા.
વિક્રમ સિંહ રાણા ઉર્ફ ગુડડુંભાઈએ સુસનેરથી અપક્ષ ચુંટણી લડીને કોંગ્રેસના મહેન્દ્ર ભૈરો સિંહ બાપુને 27062 વોટથી હરાવ્યા છે. આ સીટ પર ભાજપ ત્રીજા નંબરે રહી હતી. ભાજપે આ સીટ પર મુરલીધર પાટીદારને ચુંટણી લડાવી હતી. જેમને કુલ 43880 જેટલા મત મળ્યા હતા. વર્ષ 2013માં આજ સીટ પર મુરલીધર પાટીદારને 27676 જેટલા વોટના અંતરથી ચુંટણી જીતી હતી.
- કેદાર ડાવર પૂર્વ કોંગ્રેસી છે જે વર્ષ 2013માં ધુલકોટથી ધારાસભ્ય ચુંટાઈ આવ્યા હતા. આવખતે ટિકિટ ના મળવાના કારણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
કેદાર ડાવરે અપક્ષ ઉમેદવાર તરીકે ભગવાનપુર સીટથી ચુંટણી લડી હતી. એમણે ભાજપના જમના સિંહ સોલંકીને 9716 વોટથી હરાવ્યા હતા. આ સીટ પાર કોંગ્રેસ ત્રીજા નંબરે રહી હતી. કોંગ્રેસે આ સીટ પર વિજય સિંહ સોલંકીને ટિકિટ આપી હતી જેમને કુલ 20112 વોટ મળ્યા હતાં. 2013માં આ સીટ પરથી ભાજપના વિજય સિંહને 1820 વોટથી ચુંટણી જીત્યા હતાં.
- પ્રદીપ જયસવાલ પૂર્વ કોંગ્રેસી છે. વર્ષ 2008માં કોંગ્રેસની ટિકિટ પાર ધારાસભ્ય બન્યા હતાં. પરંતુ 2013માં ચુંટણી હારી ગયા હતાં. આવખતે ટિકિટ ના મળતાં અપક્ષ ચુંટણી લડ્યા અને જીત્યા.
પ્રદીપ જયસવાલે ટિકિટ ના મળતાં અપક્ષ લડવાનું નક્કી કર્યું અને વારસિવનીથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. તેમણે ભાજપના યોગેન્દ્ર નિર્મલને 3862 વોટથી હરાવ્યા હતા. આ સીટ પાર કોંગ્રેસ ચોથા નંબર લર રહી હતી. કોંગ્રેસે આ સીટ પાર સંજય સિંહ મસાની ને લડાવ્યા હતા. જેમે કુલ 11785 વોટ મળ્યા હતા. વર્ષ 2013ની ચુંટણીમાં આ સીટથી ભાજપના યોગેન્દ્ર નિર્મલ સિંહ 17938 વોટના અંતરથી ચુંટણી જીતી હતી.
ઉલ્લેખનીય છે કે છેલી ત્રણ ટર્મથી ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ પર કબજો જમાવ્યો હતો અને લગભગ ૧૫ વર્ષના વનવાસ બાદ કોંગ્રેસે વાપસી કરી છે અને હવે કોંગ્રેસ મધ્યપ્રદેશ માં સરકાર બનાવવા જઈ રહી છે.
(ધ ક્વિન્ટ હિન્દીનું અનુવાદ. ઓલ રાઈટ્સ રિઝર્વ્ડ બાય ધ ક્વિન્ટ હિન્દી)