GandhinagarGujaratIndiaPolitics

હાર્દિક પટેલ નું રાહુલ ગાંધી માટે પ્રથમ અને મોટું નિવેદન! જાણો બીજું શું કહ્યું!

ગઈ કાલે એટલે કે ૧૨ મી માર્ચના ઐતિહાસિક દિવસે એટલે કે દાંડી માર્ચના દિવસે હાર્દિક પટેલ સત્તાવાર રીતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમનું કોંગ્રેસનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું અને કોંગ્રેસના તમામ શીર્ષ નેતૃત્વ દ્વારા પણ હાર્દિક પટેલ નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ સાથે સાથે તેમના સમર્થકો પણ કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે હાર્દિક પટેલના વિરોધીઓના પેટમાં તેલ રેડાયું હતું અને હાર્દિક પટેલના નિર્ણયનો વિરોધ કર્યો હતો. હાર્દિક પટેલ દ્વારા લોકસભા લડવાની જાહેરાત પણ અગાઉજ કરી દેવામાં આવી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલને જયારે પૂછવામાં આવ્યું હતુકે તમે કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને જ શું કામ પસંદ કર્યા ત્યારે હાર્દિક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “મેં રાહુલ ગાંધીને પસંદ કર્યા કારણ કે તે ઈમાનદાર છે અને તાનાશાહની જેમ કામ કરવામાં વિશ્વાસ નથી કરતા.”

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં હાર્દિકે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ આઝાદીની લડાઈ લડી હતી અને આ લડાઈ પૂજ્ય મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ, મૌલાના અબુલ કલામ આઝાદ, પંડિત જવાહરલાલ નેહરુ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાતંત્ર્ય સેનાની લાલા લજપતરાય સહિતના નેતાઓના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ પાર્ટીએ આ લડાઈ લડી હતી અને અંગ્રેજોની ગુલામી માંથી દેશને આઝાદ કરાવ્યો હતો.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં હાર્દિક પટેલ દ્વારા મંચ પરથી જનતાને સાવલા કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ સાથેજોડાવાનો નિર્ણય બરોબર છેને? ત્યારે સામે લાખોની જનમેદની માંથી એક જ અવાજે આવ્યો “હા” અને ત્યાર બાદ જય સરદાર જય સરદારના નારા ગુંજવા લાગ્યા.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

અડલજ ખાતેની જનસભામાં લગભગ ત્રણ લાખ જેટલી જનમેદની એકઠી થઇ હતી. હાર્દિક પટેલ સીધાજ જનસભાના સ્થળે જ પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતાઓ અન્ય કાર્યક્રમો પતાવીને જનસભામાં પહોંચ્યા હતા. પ્રિયંકા ગાંધીની ગુજરાતની આ પ્રથમ મુલાકાત હતી અને તેમણે જનસભાને પણ સંબોધી હતી.

હાર્દિક પટેલ
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે હાદિક પટેલ પાટીદાર અનામત અંદોલનના પ્રણેતા છે અને તેમના જ આંદોલનના કારણ કેન્દ્ર સરકારને ઝૂકવું પડ્યું અને સમગ્ર સવર્ણ સમાજના ગરીબ અને જરૂરિયાતવાળા લોકોને ૧૦% અનામતનો લાભ મળવા પામ્યો. હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસી કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!