
છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતોએ દિલ્લીને બાનમાં લીધું છે. ધીમે ધીમે દિલ્લીની તમામ બોર્ડર પર કબજો કરિજે ખેડૂતો સરકાર સામે દેખાવો કાફી રહ્યા છે. દિલ્લીમાં થઈ રહેલું ખેડુતોનું આઆંદોલન અત્યાર સુંધીનું સૌથી મોટું આંદોલન ગણવામાં આવી રહ્યું છે જે માત્ર ને માત્ર ખેડૂતો દ્વારા વગર કોઈ રાજકીય પાર્ટીના સમર્થન વગર આટલું મોટું આંદોલન ઉભું થયું છે. સરકારના કેટલાય પ્રયાસો બાળપણ આ આંદોલન પાછું ખેંચાય એવા કોઈ અણસાર દેખાતા નથી. મોદી સરકાર પાસે ખેડૂતો માત્રને માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે કૃષિ કિસાન વિરોધી કાયદો પાછો લેવામાં આવે. જો આ માંગ માનવામાં આવે તો આંદોલન સમેટાઈ જાય તેમ છે.

ખેડૂતોના સમર્થનમાં દેશભરમાંથી અવાજ ઊઠી રહી છે. હવે પંજાબના ખેલ જગતના નામી ખેલાડીઓ પણ જગતના તાતના સમર્થનમાં આવી રહ્યા છે એટલું જ નહીં આટલા દિવસના સરકારી દમણ બાદ પણ પંજાબ અને હરિયાણાથી ખેડૂતો વધારેને વધારે સંખ્યામાં દિલ્હી આવવાની તૈયારી કરી રહ્યાં છે. ખેડૂતોના આગમનના કારણે ધીમે ધીમે દિલ્લીનું રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. સરકાર દ્વારા વોટર કેનન અને આંસુ ગેસના મારા બાદ પણ ખેડૂતોવધારે સંખ્યામાં દિલ્લી કુચ કરી રહ્યા છે જેના કારણે આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે.

ખેડૂતો દ્વારા સ્પષ્ટ પણે જનવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા માંગ માનવામાં નાઈ આવે ત્યાં સુંધી આંદોલન બંધ કરવામાં આવશે નહીં. એટલે જોવા જઈએ તો જ્યાં સુંધી સરકાર માંગો નઈ માને ત્યાં સુધી ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે. બીજી તરફ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખેડૂતઆંદોલન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કૃષિ કાયદો ગેરબંધારણીય છે. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ સિવાય અન્ય કોઈ રાજકીય પક્ષે આ ખરડાને ટેકો આપ્યો નથી.

મોદી સરકાર ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ખેડૂતોના વિરોધનો આજે સાતમો દિવસ છે. જેમ જેમ દિવસો જઈ રહ્યા છે તેમ તેમ ખેડુતોનું આંદોલન વેગવંતુ જઇ રહ્યું છે. ખેડૂતોએ સિંઘુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર કબજો જમાવ્યા બાદ હવે ખેડુતો નોઈડા-દિલ્હીની ચિલ્લા બોર્ડર પર હજારો ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ચિલ્લા બોર્ડર પર ખેડૂત આંદોલનને કારણે દિલ્હી-નોઈડા માર્ગની અવરજવરમાં મુશ્કેલીઓ પડી રહી છે. એટલે હવે ચિલ્લા બોર્ડર પણ બંધ થવા જઇ રહી છે.

આ બાબતે દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક ચેતવણી જાહેર કરી છે. ખેડૂત આંદોલનને કારણે અક્ષરધામ મંદિરથી ચિલ્લા બોર્ડર રોડ બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે લોકોને આ માર્ગ ઉપર ન જવા અપીલ કરી છે. તેમજ સરકાર પણ દિલ્લી આવતા ખેડૂતોને દિલ્લીના આવવા અપીલ કરી છે. તો બીજીતરફ ખેડૂત સંગઠનો સરકારની અપીલને અવગણીને વધારે સંખ્યામાં ખેડૂતો દિલ્લી પહોંચી રહ્યા છે. સરકાર દ્વારા ખેડુતો સાથે વાટાઘાટો પણ કરવાની તૈયારી બતાવી છે. ખેડતો દ્વારા તમામ સંગઠનોને વિશ્વાસમાં લઈને વાટાઘાટો કરવા માટે તૈયારી બતાવી છે.

ઉલ્લેખનીય છે કે જો મોદી સરકાર દ્વારા વધારે પહેલ થાય તો આ આંદોલન સમેટાઈ શકે છે પરંતુ ખેડૂતોની માંગણી એક જ છે કૃષિ કિસાનના ત્રણ કાયદાઓ પાછા લેવામાં આવે. જો કે મોદી સરકાર આ કાયદાઓને ખેડૂતોના હિતમાં ગણાવી રહ્યા છે. જોકે પ્રધાનમંત્રી દ્વારા પણ આ કાયદાઓને કિસાન હિતમાં ગણાવ્યા છે. ખેડૂતોએ કહ્યું હતું કે સરકાર માંગ નઈ માને તો દિલ્લીની સરહદો બંધ કરી દેવામાં આવશે ખેડૂતોની ચેતવણી બાદ સરકાર દ્વારા ખેડૂત આગેવાનોને બિનશરતી વાટાઘાટ માટે બોલાવવામાં આવ્યા છે.