
ગુજરાતમાં પેટાચૂંટણી ઓ જાહેર થઈ તે પહેલાથી રાજકીય ગરમાવો આવી ગયો હતો. આમ તો રાજ્યસભા ચૂંટણી વખતથી જ રાજ્યનું વાતાવરણ રાજકીય રીતે ગરમાઈ ગયું હતું. એમ ઘી પુર્યુ પેટાચૂંટણીની જાહેરાતે. આમ જોઈએ તો પેટાચૂંટણી આવે ત્યારે બંને મુખ્ય પાર્ટીઓ સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માં જનતાનો મૂડ કોના તરફ છે એ સાબિત કરવા માટે હોડ જામે છે અને બંને પાર્ટીઓ વચ્ચેની આ હોડમાં પાર્ટીના જડથી જોડાયેલા કાર્યકરો પીસાઇ જાય છે. કાર્યકરો પર થોપી બેસાડવામાં આવેલા નેતાઓને જીતાડવાની જાવબદારી પણ ઠોકી બેસાડવામાં આવે છે. પરંતુ આ વખતે માહોલ અલગ છે.

આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં કાર્યકરોનો સુર બંને પાર્ટી માટે મહત્વનો તથા માથાનો દુખાવો પણ બન્યો છે. ભાજપના માથે કાર્યકરોના વિરોધનું વાદળ ઘેરાયેલું છે. અને ધીરે ધીરે ડખો વધી રહ્યો છે. કાર્યકરોમાં નિરુત્સાહનું વાતાવરણ છે અને ભાજપમાં ભડકો થઈ રહ્યો છે. ભાજપ કાર્યકરોમાં કોંગ્રેસ માંથી આવેલા ને પેટાચૂંટણી માં ટિકિટ આપવા સામે વિરોધ છે અને જો ભાજપ આપે તો તેને નુકશાન કરતાં સાબિત થઈ શકે છે. ભાજપ માટે કોંગ્રેસના આયાતી નેતાઓ ગાળામાં ફસાયેલા હાડકા સમાન છે જે ના ગળી શકાય કે ના ઓકી શકાય.

તો કોંગ્રેસમાં પણ આજ સ્થિતિ છે પરંતુ વધારે ચિંતાજનક નથી કારણ કે, કોંગ્રેસને પોતાની જ પાર્ટીના ઉમેદવારને પેટાચૂંટણી માં ટિકિટ આપવાની છે અને એ પણ જમીન સાથે જોડાયેલા કાર્યકારને. કોંગ્રેસ પ્રમુખ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં અગાઉ જણાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા કાર્યકરોને પૂછીને જ ઉમેદવાર પસંદ કરવામાં આવશે અને જમીન સાથે જોડાયેલા જનતા અને કોંગ્રેસને વફાદારને જ ટિકિટ ફાળવવામાં આવશે. ત્યારે બંને પાર્ટીના કાર્યકરો પણ પોતાની પાર્ટી સાથે ગદ્દારી કરતાં લોકોને ઓળખી રહી છે અને આવા નેતાઓનો નકાબ ઉતારી રહ્યા છે.

આવું જ કઈંક કોંગ્રેસમાં બન્યું પાર્ટી વિરુદ્ધ કામ કરનારનું નામ ઉમેદવારોની પેનલમાં સામેલ થતાં નારાજગી વધી અને કાર્યકરો મોટો વિરોધ દર્શાવ્યો. કચ્છની અબડાસા બેઠકમાં કોંગ્રેસ કાર્યકરોએ પેનલમાં આવેલ નામ બદલવા માટે ઉગ્ર રજૂઆતો કરી છે. વર્ષ 2014 ની વિધાસભાની પેટાચૂંટણી માં ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરનારા શાંતિલાલ સંઘાણીનું સંભવિત ઉમેદવારોની પેનલમાં નામ આવતાં કોંગ્રેસના કાર્યકરોમાં અસંતોષની લાગણી છે. પાર્ટી વિરોધી ગતિવિધિ કરનારનું નામ સંભવિત ઉમેદવારોની પેનલમાં આવતા જ કચ્છ કોંગ્રેસમાં નારાજગીના સૂર ઉઠ્યા છે.

અબડાસા બેઠક પર શાંતિલાલ સંઘાણીનું નામ સામે આવતા કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ નારાજ થયાં છે. કોંગ્રેસ દ્વારા જ કચ્છ અબડાસાના કાર્યકરોને પૂછવામાં આવતાં કર્યકરોએ મત આપ્યો હતો કે જ્યારે શક્તિસિંહ ગોહિલ અબડાસા બેઠકથી ચૂંટણી લડ્યા ત્યારે શાંતિલાલ સંઘાણીએ વિરોધમાં કામ કર્યા હતા. જે પાર્ટી વિરોધી ગતિવિધિ જ કહેવાય છે. આ પહેલાં માતાના મઢ પહોંચેલા પરેશ ધાનાણી પણ કહ્યું હતું કે કાર્યકરોને પૂછી ને જ પેટાચૂંટણી માં ઉમેદવાર પસંદ કરવામાં આવશે કોઈ ઓણ ઉમેદવાર કાર્યકરો પર ઠોકીબેસાડવામાં આવશે નહીં.

આ ઉપરાંત પરેશ ધનાણીએ નિવેદન આપ્યું હતું કે ગાંડો ચાલશે, પણ ગદ્દાર નહી ચાલે. એટલે હાલ તો શાંતિલાલ સંઘાણીને ટિકિટ મળવી મુશ્કેલ છે. ત્યારે કર્યકારોના મત મુજબ અબડાસાની પેનલમાં ફેરફાર થાય તેવી પુરી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, શાંતિલાલ સંઘાણી ભાજપના છબીલ પટેલના સંબંધી પણ થાય છે. આમ કોંગ્રેસમાં તો આ બેઠક પર વિવાદ સમી જશે પરંતુ ભાજપ માટે પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યો એ ગાળામાં ભરાયેલા હાડકા સમાન છે જેને ભાજપ ઓકી શકતું નથી કે ગળી પણ શકતું નથી. હાલતો ભાજપ કાર્યકરોમાં આ પેટાચૂંટણી માં કોંગ્રેસના આયાતી નેતાઓને જીતાડવામાં કોઈ ઉત્સાહ નથી દેખાઈ રહયો.