લોકસભા ચુંટણીમાં હવે માત્ર છેલ્લા તબક્કાનું મતદાન બાકી જેના માટે આવતી કાલે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે. અંતિમ દિવસોમાં તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવતી હોય છે પરંતુ આવખતે કોંગ્રેસે સ્ટ્રેટેજી બદલીને ભાજપને અચંબિત કરી દીધું છે. જે પ્રધાનમંત્રી મોદી માટે સારા સમાચાર નથી.

કોંગ્રેસ દ્વારા મતદાન પૂર્ણ થાય તે પહેલાજ સરકાર રચવા માટે જરૂરી અંક કબજે કરવાની રણનીતિ ઘડવાના પ્રયાસો અને બેઠકો હાથ ધરવાની શરુ કરી દીધી છે. કોંગ્રેસ કોર ગ્રુપની બેઠક હાલમાં જ યોજાઈ ગઈ અને તેમાં તમામ પ્રકારની ચર્ચા હાથ ધરવામાં આવી જેમકે બહુમતી મળે તો શું અને બહુમતી ના મળે તો શું કરવું વગેરે જેવી.

કોંગ્રેસના દિગ્ગજ અને કી પર્શન કહી શકાય તેવા નેતાઓ આ કોર કમિટીની બેઠકમાં હાજર રહ્યા હતા અને તેમને દરેકને સોનિયા ગાંધી દ્વારા ટાસ્ક આપવામાં આવ્યા છે તેવું અમારા નજીકના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસ દ્વારા પૂર્વીય ભારત અને દક્ષીણ ભારતના રાજ્યો પર ફોકસ વધારી દીધું છે.

કોંગ્રેસ દ્વારા યુપી, બિહાર, ઓડીશા, ઝારખંડ પર ફોકસ કરવામાં આવ્યું છે તો દક્ષીણ ભારતમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાના, કેરલ વગેરે રાજ્યો પર ફોકસ કરવામાં આવ્યું છે. હિન્દી હાર્ટલેન્ડ ગણાતા ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે.

જ્યાં કોંગ્રેસની સરકાર નથી તેવા તમામ રાજ્યોમાં લોકલ પાર્ટીઓ સાથે હાથ મિલાવવામાં આવ્યા છે અને તેમના નેતાઓ સાથે સંપર્ક બનાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસની રણનીતિ પ્રમાણે બિહાર અને ઝારખંડમાં મહાગઢબંધન કરીને સાથે ચુંટણી લડવામાં આવી રહી છે જેથી એકજ સરખી વિચારધારા વાળી પાર્ટી એકબીજાના વોટ ના કાપે. અને ભાજપને ફાયદો ના મળે.

તેવીજ રીતે ઉત્તરપ્રદેશમાં પ્રિયંકા ગાંધીના હાથમાં સોંપાયેલી કમાન અને તેમના દ્વારા ઉતારવામાં આવેલા ઉમેદવારો સપા બસપા ના મહાગઢબંધનના વોટ નહી કાપે પરંતુ ભાજપના વોટ કાપશે એવું ખુદ પ્રિયંકા ગાંધીએ મીડિયા સમક્ષ પણ જણાવ્યું હતું. દેખીતી રીતે સપા બસપા ગઢબંધન કોંગ્રેસ અને ભાજપ વિરુદ્ધ છે પણ બંધ બારણે સપા બસપા જરૂર પડ્યે કોંગ્રેસને સમર્થન આપીને સરકાર બનાવવામાં મદદ કરશે.

બંગાળની જો વાત કરીએ તો ત્યાં મમતા બેનર્જીની તૃણમુલ કોંગ્રેસ અને કોંગ્રેસ ભાજપ વિરોધી છે છતાં અલગ અલગ લડે છે એટલે મમતા બેનર્જીના વિરોધી મત કોંગ્રેસને મળે અને કોંગ્રેસ વિરોધી મત તૃણમુલને મળે. ભાજપ વિરોધી માહેલ બનાવવામાં માતા બેનર્જીને સફળતા મળી છે ત્યારે જો કોંગ્રેસને જરૂર પડશે તો મમતા બેનર્જી કોંગ્રેસને સમર્થન આપીને સરકાર રચવામાં મદદ કરશે એ નક્કી.

બીજી તરફ દક્ષીણ ભારતમાં કોંગ્રેસના સાથી સહયોગી ગણાતા અને રાહુલ ગાંધીના મિત્ર એવા સ્ટારલીનને દક્ષિણમાં કોંગ્રેસ માટે સહયોગીઓ શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. એ અંતરગત કોંગ્રેસના કટ્ટર અને ધૂર વિરોધી ગણાતા કેસીઆર રાવ સાથે સ્ટારલીન દ્વારા મીટીંગ કરવામાં આવી હતી અને તેમની સામે કોંગ્રેસ સાથે આવવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને યુપીએ ચેરમેન સોનિયા ગાંધી દ્વારા વાય.એસ.આર કોંગ્રેસ અધ્યક્ષ જગન રેડ્ડી સાથે પણ વાત કરવામાં આવી છે અને તેમને યુપીએમાં શામિલ થવા માટે તેમજ ૨૩મી તારીખે મળનારી યુપીએની મીટીંગમાં હાજર રહેવા માટે પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.

તો આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી પણ ભાજપ વિરુદ્ધ લાંમબંધી કરી રહ્યા છે થોડા દિવસ અગાઉ જ તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મીટીંગ કરી ચુક્યા છે અને આ બાબતે અંત્યંત મહત્વની ચર્ચા પણ કરી ચુક્યા છે. કેરળમાં કોંગ્રેસ તરફી માહોલ બનાવવા માટે રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે.

તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ને સોનિયા ગાંધી દ્વારા એનડીએના ઘટક દળ એવા બીજેડીને યુપીએમાં લાવવા માટેનો ટાસ્ક આપવામાં આવ્યો છે જે અંતર્ગત કમલનાથ દ્વારા નવીન પટનાયક સાથે ફોન પર વાત પણ કરવામાં આવી હતી.

મતલબ કોંગ્રેસે આવનારી પરીસ્થીને ભાંપીને અત્યારથીજ બહુમતીના આંકડાને મેળવવાના પ્રયત્નો કરી દીધા છે કોંગ્રેસ હાલ સૌથી વધારે લોકસભા સીટો વાળા રાજ્યો પર ફોકસ વધારી રહી છે અને લોકલ પાર્ટીઓ સાથે સંપર્કમાં છે. કોંગ્રેસ હાલ બંનેબાજુ રમી રમી રહી છે જો અને તો ની આ રણનીતિ કરગર સાબિત થશે તો ભાજપ સત્તાથી દુર થઇ જશે અને નરેન્દ્ર મોદી નું ફરી પ્રધાનમંત્રી બનવાનું સપનું સપનું બનીને જ રહી જશે! પરંતુ ત્યાર બાદ સવાલ એ ઉભો થાય છે કે પ્રધાનમંત્રી કોણ? કોંગ્રેસ પાસે બહુમતી હશે તો પ્રધાનમંત્રી રાહુલ ગાંધી જ છે પરંતુ બહુમત ના મળે તો રાહુલ ગાંધી સામે ચાલીને પ્રધાનમંત્રી ની રેસ માંથી હટી જશે!



