IndiaPolitics

કુમાર વિશ્વાસના આરોપ, મુખ્યમંત્રીના પત્ર બાદ AAP અને SFJ ના સંબંધોની તપાસ કરશે અમિત શાહ!

ગૃહ પ્રધાન અમિત શાહ એ પંજાબમાં આમ આદમી પાર્ટી અને પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ વચ્ચેના સંબંધોની તપાસ માટે પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીની વિનંતીને સ્વીકારી લીધી છે. કેજરીવાલની પાર્ટી પર આ આરોપો AAPના સ્થાપક સભ્યોમાંથી એક અને પ્રખ્યાત કવિ કુમાર વિશ્વાસે પણ લગાવ્યા છે. તે જ સમયે, આ જ સંગઠને 19 ફેબ્રુઆરીએ પંજાબમાં બંધનું એલાન આપ્યું છે, ત્યારબાદ દેશભરમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીને લખેલા પત્રમાં ગૃહમંત્રી અમિત શાહ એ આ વાત કહી છે. અગાઉ, ચન્નીએ ગૃહ પ્રધાનને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે પ્રતિબંધિત સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ AAPના સતત સંપર્કમાં છે.

પોતાના દાવાના સમર્થનમાં, ચન્નીએ શીખ ફોર જસ્ટિસના કાયદાકીય સલાહકાર ગુરપતવંત સિંહ પન્નુનો પત્ર જોડ્યો હતો. ચન્નીએ કહ્યું- “એનો ઉલ્લેખ છે કે SFJ એ 2017 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપ્યું હતું અને તે જ રીતે આ ચૂંટણીઓમાં પણ SFJએ મતદારોને આમ આદમી પાર્ટીને મત આપવા માટે અપીલ કરી છે”. આના જવાબમાં અમિત શાહ એ શુક્રવારે એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે- “તમારા પત્ર મુજબ, એક રાજકીય પક્ષ ચૂંટણી દરમિયાન દેશ વિરોધી, અલગતાવાદી અને પ્રતિબંધિત સંગઠનના સંપર્કમાં રહે છે અને સમર્થન માંગે છે, તે રાષ્ટ્રીય સુરક્ષા ના સંદર્ભમાં ગંભીર બાબત છે.

ભાજપ, અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવા લોકોનો એજન્ડા દેશના દુશ્મનોના એજન્ડાથી અલગ નથી. સત્તા હાંસલ કરવા માટે કેટલાક લોકો અલગતાવાદીઓ સાથે સાંઠગાંઠ કરીને પંજાબ અને દેશની એકતાને નુકસાન પહોંચાડવાની હદ સુધી જઈ શકે તે નિંદનીય છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એ ત્યારબાદ લખ્યું કે તેઓ તેમને ખાતરી આપે છે કે દેશની એકતાને ખલેલ પહોંચાડવાની કોઈને મંજૂરી આપવામાં આવશે નહીં. ભારત સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહી છે અને તેઓ વ્યક્તિગત રીતે આ મામલાની તપાસ કરશે. દેશવ્યાપી એલર્ટ જાહેર- આ સિવાય પંજાબમાં વોટિંગ પહેલા આ પ્રતિબંધિત સંગઠને ‘રેલ-પંજાબ બંધ’નું એલર્ટ આપ્યું છે.

જેના માટે સુરક્ષા એજન્સીઓએ દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓ એ જણાવ્યું કે ગુરપતવંત સિંહ પન્નુએ ફેસબુક પર એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં તેમણે 19 ફેબ્રુઆરીએ ‘રેલ-પંજાબ બંધ’નું આહ્વાન કર્યું છે. તે જ સમયે, પન્નુએ તેમના અનુયાયીઓને પંજાબના મતદાન મથકો પર “કેસરી ખાલિસ્તાન” ધ્વજ લગાવવા અને ચૂંટણીના દિવસે “ખાલિસ્તાન ઝિંદાબાદ” ના નારા લગાવવા કહ્યું છે. ગુરપતવંત સિંહ પન્નુએ એમ પણ કહ્યું કે સ્વર્ગસ્થ પંજાબી અભિનેતા દીપ સિદ્ધુ જરનૈલ સિંહ ભિંડરાનવાલેના સાચા અનુયાયી હતા અને તેમણે હંમેશા અલગ ખાલિસ્તાનની માંગને સમર્થન આપ્યું હતું. જણાવી દઈએ કે ગત વર્ષે 26 જાન્યુઆરીએ લાલ કિલ્લાની હિંસાના આરોપીઓમાંથી એક દીપ સિદ્ધુનું 15 ફેબ્રુઆરીના રોજ એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!