Life Style

તિજોરી માં મુકીદો આ વસ્તુ! દૂર થઈ જશે વાસ્તુ દોષ અને માં લક્ષ્મીજી આવશે દોડતા!

રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ! https://www.jansad.com/dont-make-emplty-few-things-in-kitchen-to-pleaze-annpurna-and-lakshmiji/

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વધુ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી ફાયદો થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ઘર અને ઘરમાં રહેલી તિજોરી સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં તમામ વસ્તુઓ રાખવા માટે ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ નિયમોનું પાલન કરવું મનુષ્ય માટે વધુ ફાયદાકારક છે. વાસ્તુશાસ્ત્રમાં તિજોરી માટેના કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે.

વાસ્તુશાસ્ત્રના આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. ખાસ કરીને ધન મુકવાની તિજોરી માટે વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા મુજબના નિયમો પાળવામ આવે તો શુભ પરિણામ મળે છે.

વાસ્તુશાસ્ત્રમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે.  એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી મનુષ્યો પર કૃપાળુ બને છે અને તિજોરી જીવનમાં હંમેશા ધનથી ભરેલી રહે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓને તિજોરીમાં રાખવાથી અટકેલા પૈસા મેળવવામાં મદદ મળે છે અને જીવનમાં પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.  માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે.

તિજોરીમાં કેટલીક ખાસ વસ્તુઓ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.  કેટલીક યુક્તિઓ કરવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. અને ધન સમૃદ્ધિ કાયમ માટે ઘરમાં વસી જાય છે.

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ છે. વાસ્તુશાસ્ત્રમાં આવા જ કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે, જો તેનું પાલન કરવામાં આવે તો ઘરમાં ધન-સંપત્તિ અને સુખ-સમૃદ્ધિમાં અપાર વૃદ્ધિ થાય છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, તિજોરીમાં કેટલીક વસ્તુઓ રાખવાથી વ્યક્તિને ધનની દેવી માતાના આશીર્વાદ મળે છે અને તિજોરી જીવનમાં હંમેશા પૈસાથી ભરેલી રહે છે.  ચાલો જાણીએ કે કઈ વસ્તુઓને તિજોરીમાં રાખીને પૈસા કમાઈ શકાય છે.

પીપળના પાન: જો તમે જીવનમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો પીપળના પાન પર લાલ સિંદૂરથી ઓમ લખો. આ પછી તેને તિજોરીમાં રાખો. આ ઉપાય સતત પાંચ શનિવાર કરો. કહેવાય છે કે આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે.

તિજોરીનો રંગ: જો પૈસા તમારી તિજોરીમાં નથી રહેતા તો તેનું સૌથી મોટું કારણ સેફની અંદરનો રંગ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સેફની અંદરનો રંગ લાલ હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તિજોરીની અંદરનો રંગ લાલ હોય તો પૈસા અટકવા લાગે છે.

શ્રી યંત્ર: શ્રી યંત્ર એ દુનિયામાં સૌથી પાવરફુલ યંત્ર ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે હરિ યંત્રને ઘરે લાવીને તેની રોજ પૂજા કરવા માત્રથી ઘરમાં ધનની કંઈ દૂર થઈ જાય છે.

શ્રી યંત્રને લાલ કપડું પાથરેલા આસન પર મૂકીને તેની પર કોરું કંકુ ચડાવીને પૂજા સ્થાને મુકવાથી ધનની વૃદ્ધિ થાય છે. તેમજ શ્રી યંત્રને લાલ કપડામાં મૂકી કોરું કંકુ ચડાઈને તિજોરીમાં મુકવામાં આવે તો ધનની કમી દૂર થાય છે.

શંખ અને કોડી: માતા લક્ષ્મીને કોડી પ્રિય છે તેમજ ભગવાન વિષ્ણુને શંખ. જો શંખ અથવા કોડિ કોઈપણ પૂર્ણિમાના દિવસે અથવા શુક્રવારે શુભ સમય ચોઘડિયું જોઈને પૈસા મુકવાની તિજોરીમાં મુકવામાં આવે તો પણ ચોક્કસ પ્રકારે ધનાગમન થાય છે. ધનની તંગી દૂર થાય છે.

પીળી હળદરની ગાંઠ: વાસ્તુશાસ્ત્ર મુજબ હળદર પણ ખૂબ જ મહ્ત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ એવું માનવામાં આવે છે કે પીળી હળદરની એક ગાંઠ તમારી આર્થિક તંગી દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેનો ઉપયોગ અનેક ધાર્મિક અને કેટલીક તાંત્રિક પૂજાઓ માં પણ થાય છે.

તમારે પણ ઘરમાં ધનની તંગી દૂર કરવી હોય તો શુક્રવારે હળદરનો એક ગાંઠિયો લાલ કપડામાં બાંધીને તિજોરી જ્યાં પૈસા મુકતા હોય એ સ્થાને મૂકી દેવાનું. અને હા તે સ્થાન હંમેશા સ્વચ્છ રાખવું. તેનાથી માં લક્ષ્મીની કૃપા બની રહેશે.

જ્યોતિષમાં હળદરને ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. સનાતન ધર્મના તમામ શુભ કાર્યોમાં તેનો ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં, પીળા કપડામાં હળદરના ગઠ્ઠા સાથે કોડી બાંધો અને તેને તમારી તિજોરીમાં સ્થાપિત કરો. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે.

અરીસો: વાસ્તુશાસ્ત્ર મુજબ અરીસો એ ખૂબ જ મહત્વ ધરાવે છે. અરીસા કરતાં તેને જે રીતે મુકવામાં આવે છે ને એ વધારે મહત્વનું છે. પૈસા મુકવાની તિજોરીમાં અરીસા સામે પૈસા સોનાના દાગીના મુકવા અને એ ધ્યાન રાખવું કે જે મૂક્યું છે એનું પ્રતિબિંબ અરીસામાં દેખાય, કહેવાય છે કે અરીસામાં જે દેખાય એ ડબલ થઈ જાય છે માટે પૈસા મુકવાની તિજોરીમાં અરીસો રાખવો જોઈએ.

રસોડા માં આ વસ્તુઓને ક્યારેય ખતમ થવા ન દો, નહીં તો લક્ષ્મીજી અને અન્નપૂર્ણા દેવી થઈ જશે નારાજ! https://www.jansad.com/dont-make-emplty-few-things-in-kitchen-to-pleaze-annpurna-and-lakshmiji/

Related Articles

Back to top button
આજનું રાશિફળ!