Religious

દોઢ વર્ષ પછી કેતુ કરવા જઈ રહ્યા છે ગોચર! ચાર રાશિના લોકો પર કરશે અઢળક ધનવર્ષા!

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની રાશિ બદલી નાખે છે. જ્યારે રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહો હંમેશા પાછળ ગતિ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે પણ વ્યક્તિની કુંડળીમાં કેતુ અશુભ સ્થિતિમાં હોય છે ત્યારે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

ન્યાયના દેવતા શનિ મહારાજ પણ હાલમાં વક્રી ચાલી રહ્યા છે. તો છાયાં ગ્રહ રાહુ પણ વક્રી થઈ ગયા છે. અને હવે કેતુ પણ વક્ર ગતિએ ચાલશે. ત્રણેય ગ્રહ વક્રી થતાં કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓ માટે અશુભ ફળ લઈને આવી રહ્યા છે. શનિ મહારાજ સૌથી ધીમી ગતિએ ચાલે તેઓ અઢીવર્ષ જેટલો સમય લે છે.

જ્યારે કેતુને એક રાશિ માંથી બીજી રાશિમાં ગોચર કરતાં દોઢ વર્ષ જેટલો સમય લાગે છે. કેતુ દોઢ વર્ષમાં રાશિ બદલી નાખે છે. આ વર્ષે કેતુ 30 ઓક્ટોબરે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. કેતુ સંક્રમણથી કેટલીક રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. આવો જાણીએ તે કઈ રાશિ છે, જેમને કેતુનું રાશિ પરિવર્તન શુભ ફળ આપશે.

વૃષભઃ- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલા રાશિમાં કેતુનો પ્રવેશ વૃષભ રાશિના લોકોને ઘણો લાભ આપનાર છે. આ સંક્રમણથી વૃષભ રાશિના લોકોના તમામ કાર્યો સિદ્ધ થશે. આ દરમિયાન આ રાશિના લોકોને ધન લાભ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. જો તમે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે.

સિંહઃ કેતુનું આ સંક્રમણ સિંહ રાશિના લોકો માટે શુભ અને ફળદાયી રહેશે. આ સંક્રમણ સિંહ રાશિના લોકોનું કિસ્મત રોશન કરશે. પરિવાર સાથે પ્રવાસ પર જઈ શકો છો. પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. આ સમયે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. માન-સન્માનમાં વધારો થશે. મિત્રનું આગમન તમને ખુશી આપશે. નોકરી કરતા લોકો પ્રગતિ કરી શકે છે.

ધનુ રાશિઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે કેતુના ગોચરને કારણે ધનુ રાશિના લોકોને તેમના કરિયરમાં મોટી સફળતા મળી શકે છે. વેપારીઓને ઘણો ફાયદો થવાનો છે. વિદેશ પ્રવાસની શક્યતાઓ બની રહી છે. કોઈ મોટી બીમારીથી છુટકારો મેળવી શકશો. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.

મકરઃ કેતુનો તુલા રાશિમાં પ્રવેશ મકર રાશિના લોકોને સારો આર્થિક લાભ કરાવનારો છે. આ સમયે મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. નોકરીયાત લોકોને કોઈ મોટા પદની જવાબદારી મળી શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમ થઈ શકે છે. આ સમયે તમને દરેક ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાનો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!