યોગી સરકાર પર કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ કર્યા આકરા પ્રહાર, કહ્યું પછાતોને એક બીજા સાથે ઝઘડાવવા માંગે છે ભાજપ સરકાર.
કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ યોગી સરકાર દ્વારા બનવવામાં આવેલ સામાજિક ન્યાય સમિતિના રીપોર્ટ પર સવાલ ઉઠાવતા સરકારને જાતી આધારિત જનગણના કરાવવાની માંગણી કરી. એમણે આગળ જણાવ્યુ કે જો આવું ની થાય તો એવું માનવામાં આવશે કે ભાજપ આ સમિતિના રીપોર્ટને હાથો બનાવીને પછાત વર્ગોને વિભાજીત કરવા માંગે છે.
એનડીએ થી નારાજ ચાલી રહેલા અપના દલ અને કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ જણાવ્યું કે જેની જેટલી સંખ્યા એનો એટલો હિસ્સોના આધારે આરક્ષણ મળવું જોઈએ. યુપી સરકાર એકના હિસ્સાનું લઈને બીજાને ના આપી શકે. યુપી સરકાર જાતીય જનગણના કરાવીને સંખ્યાના આધાર પર આરક્ષણ આપે. યુપી સરકાર જાતીય જનગણના ના કરાવીને પછાત વર્ગોમાં વર્ગ વિગ્રહ કરાવીને તેમને અંદરોઅંદર ઝઘડાવવા ઈચ્છે છે.
અનુપ્રિયા પટેલ જણાવ્યું કે, અમારો કેન્દ્ર સરકાર સાથે નથી કોઈ મતભેદ કે નથી મનભેદ. અમે આગળ પણ કેન્દ્ર સરકાર સાથે જ રહીશું પરંતુ અમારી સમસ્યાઓનું સમાધાન કરવું પડશે. અમે મારા કાર્યકર્તાઓના સમ્માન સાથે કોઈપણ જાતનું સમાધાન નહિ કરીએ.
અનુપ્રિયા પટેલ અને આશિષ પટેલે જણાવ્યું કે, અમે એનડીએ સાથે છીએ અને રહીશું પરંતુ જપ યુપી ભાજપના કાર્યકર્તાઓએ તેમના આચાર વિચાર ના બદલ્યા તો અમારે કોઈ નિર્ણય કરવો પડશે. બંનેએ સામાજિક ન્યાય સમિતિના રીપોર્ટને આધારહીન બતાવ્યો. પછાત જાતિઓને એમની વસ્તી પ્રમાણે આરક્ષણ આપવાની વકીલાત કરતા તેમણે યુપી સરકારને આ બાબતે જાતીય સેન્સ કરાવવાની માંગણી કરી.
પટેલે જણાવ્યું કે, ભાજપ સરકારમાં સહયોગી પાર્ટીઓના નેતાઓ, મંત્રીઓ અને કાર્યકર્તાઓની ઉપેક્ષા થઇ રહી છે. એમની માંગણીઓને સંભાળવામાં આવતી નથી. સહયોગીઓની ઉપેક્ષાથી ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં ગડબડ થઇ જશે.
આશિષ પટેલે જણાવ્યું કે, એમની પાર્ટી દ્વારા સરકારને માંગણી કરવામાં આવી હતીકે પ્રદેશના દરેક જીલ્લા પોલીસ મથકમાં ૫૦ ટકા દલિત અને પછાત વર્ગના લોકોની ભરતી કરવામ આવે પરંતુ સરકારે અમારી આ માંગણી પર ધ્યાન આપ્યું નહિ અને અવગણના કરી. એમને જણાવ્યું કે અમારી મંગની બીજી એવી પણ હતી કે, જીલ્લા અધિકારી અને પોલીસ અધિક્ષકમાં પણ એક દલિત અથવા પછાત વર્ગની વ્યક્તિ હોય.
આ પહેલા પણ અનુપ્રિયા પટેલ ભાજપ અને નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કરી ચુક્યા છે. એમને કહ્યું હતુકે ભાજપને હાલમાંજ મળેલા ત્રણ રાજ્યોમાં પરાજય પરથી શીખવું જોઈએ.



