જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ એ ઝારખંડ હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા શરતી જામીન આદેશોને રદ કરતાં જણાવ્યું હતું કે, જ્યારે અદાલતો નિયમિત અથવા આગોતરા જામીન મંજૂર કરે, ત્યારે તેને કોઈપણ રકમ જમા કરાવવાની શરતને આધીન રાખવી જોઈએ નહીં.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન ની બેન્ચ નોંધ્યું કે હાઈકોર્ટે “અસાધારણ આદેશો” પસાર કર્યા છે, જે સુપ્રીમ કોર્ટના ગજાનન દત્તાત્રય ગોરે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (2025) ના ચુકાદાથી અજાણ છે. તે ચુકાદામાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ઠરાવ્યું હતું કે: “જામીન અરજીઓ ગુણદોષ (merits) ના આધારે નક્કી થવી જોઈએ, આરોપીની ખાતરી પર નહીં.”
સુપ્રીમ કોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે “તે ખૂબ જ કમનસીબ છે કે આ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હોવા છતાં કે નિયમિત જામીન અથવા આગોતરા જામીન મંજૂર કરવા માટે કોઈપણ રકમ જમા કરાવવાની શરત ન હોવી જોઈએ, જો જામીન આપવા માટેનો કેસ બનતો હોય, તો કોર્ટે યોગ્ય આદેશ પસાર કરવો જોઈએ, અને જો કેસ ન બનતો હોય તો કોર્ટ ના પાડી શકે છે.
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથન ની બેંચે નોંધ્યું કે હાઈકોર્ટે “અસાધારણ આદેશો” પસાર કર્યા છે, જે સુપ્રીમ કોર્ટના ગજાનન દત્તાત્રય ગોરે વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય (2025) ના ચુકાદાથી અજાણ છે. તે ચુકાદામાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ઠરાવ્યું હતું કે: “જામીન અરજીઓ ગુણદોષ (merits) ના આધારે નક્કી થવી જોઈએ, આરોપીની ખાતરી પર નહીં.”
સુપ્રીમ કોર્ટ ની ખંડપીઠે નોંધ્યું હતું કે, “આ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નિયમિત જામીન અથવા આગોતરા જામીન મંજૂર કરવા માટે કોઈપણ રકમ જમા કરાવવાની શરત ન હોવી જોઈએ, જો જામીન આપવા માટેનો કેસ બનતો હોય, તો કોર્ટે યોગ્ય આદેશ પસાર કરવો જોઈએ, અને જો કેસ ન બનતો હોય તો કોર્ટ ના પાડી શકે છે. પરંતુ કોર્ટે ચોક્કસ રકમ જમા કરાવવાનો શરતી આદેશ પસાર કરીને પોતાના વિવેકાધિકારનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
અંતે, કોર્ટે ધરપકડની સ્થિતિમાં તેઓને તપાસ અધિકારી દ્વારા લાદવામાં આવેલી શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
- જામીન આપવા માટે નાણાં જમા કરાવવાની શરત ન રાખી શકાય: સુપ્રીમ કોર્ટ
- આગોતરા જામીન ને યાંત્રિક રીતે મર્યાદિત કરી શકાય નહીં: સુપ્રીમ કોર્ટસુપ્રીમ
- નશામાં ડ્રાઇવિંગ કરવા બદલ પોલીસ વાહન જપ્ત કરી શકે નહીં: તેલંગાણા હાઈકોર્ટ
- સિક્યુરિટી તરીકે આપવામાં આવેલ ચેક પણ ક. 138 NI એક્ટ હેઠળ કાર્યવાહી પાત્ર બની શકે છે: દિલ્હી હાઇકોર્ટ
- ગુના સાથે પ્રાથમિક જોડાણ વગર બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવું એ જીવન અને વેપારના અધિકારનું ઉલ્લંઘન છે: રાજસ્થાન હાઈકોર્ટ