Religious

શનિદેવ કરશે પૂર્વા ભાદ્રપદમાં ધમાકેદાર એન્ટ્રી! ત્રણ રાશિના લોકોના દુઃખ થશે દૂર સપના થશે સાકાર!

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. જેને શુભ સમય માનવમાં આવે છે. જેના કારણે કેટલીક રાશિઓ માટે શુભાશુભ સમય શરૂ થવા જઈ રહ્યો છે.

ન્યાયના દેવતાં શનિદેવ 6 એપ્રિલે શતભિષા નક્ષત્ર છોડીને ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી ગુરુ મહારાજ છે. શનિ અને ગુરુ વચ્ચે મિત્રતાનો ભાવ છે.

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે જેની અસર જાહેર જીવન અને દેશ દુનિયામાં વસતા દરેક મનુષ્ય પર થાય છે.

મેષઃ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ તમારા માટે લાભદાયક રહેશે. કારણ કે તમારી રાશિથી શનિદેવ આવકના ઘર તરફ પ્રયાણ કરશે. તેથી આ સમયે તમારો નફો વધશે. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે.

તે જ સમયે, બાળક તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. ઉપરાંત, જેઓ નિઃસંતાન છે તેઓને બાળક મળી શકે છે. જેઓ અપરિણીત છે તેમના લગ્ન થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત, જૂના રોકાણોમાંથી પણ લાભની તકો રહેશે.

વૃષભ: પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ગોચર કુંડળીના કર્મ ગૃહમાં જશે. તેથી, તમને કાર્યસ્થળ પર કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. આ સમયે તમે મકાન અને વાહન ખરીદી શકો છો.

તેમજ જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને નવી નોકરી મળશે. બીજી બાજુ, જો તમે વેપારી છો, તો તમે વ્યવસાયમાં સારો નફો મેળવી શકો છો. આ સમયે તમારા પિતા સાથે તમારા સંબંધો સારા રહેશે. તેમજ આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે.

મિથુનઃ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિદેવનો પ્રવેશ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી નવમા ભાવમાં ગોચર કરશે. તેથી, આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે. તમને માન અને પ્રતિષ્ઠા પણ મળશે.

તમે ત્યાં નવું કામ શરૂ કરી શકો છો. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. સાથે જ તમારું પેન્ડિંગ કામ પણ પૂરું થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. એટલે મહેનત કરવા લાગી જજો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!