Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home Gujarat

અમિત શાહ ને ગૃહમંત્રી બનાવતા જ હાર્દિક પટેલનું સ્ફોટક નિવેદન! જાણો શું કહ્યું!

jansad by jansad
June 1, 2019
in Gujarat, India, Politics
0
અમિત શાહ

ફોટો: સોસીયલ મીડિયા

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકસભા ૨૦૧૯ની ચુંટણીમાં પ્રચંડ બહુમતથી જીત્યા બાદ ૩૦મી મે ના રોજ નરેન્દ્ર મોદીએ ફરી પ્રધાનમંત્રી પદના શપથ લીધા અને સાથે સાથે મંત્રીઓએ પણ ગુપ્તતાના શપથ લીધા. આ વખતનું મંત્રીમંડળ વધારે ચર્ચાસ્પદ રહ્યું છે. અમિત શાહ ને ગૃહમંત્રી બનવતા ચર્ચા વધારે વેગવંતી બની છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

ગઈ સરકાર કરતા તદ્દન નવું અને કેટલાય નવા સભ્યોનું ફ્રેશ કહી શકાય તેવું મંત્રીમંડળ દેશને મળ્યું છે પરંતુ અનુભવમાં લગભગ તમામ સદસ્યો નવા છે એટલે કદાચ મોદી સરકારને સમય જતા ફટકો પડી શકે છે અથવા મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઇ શકે છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

આ મંત્રી મંડળમાં સૌથી ચર્ચાસ્પદ કહી શકાય એવું છે ગૃહમંત્રાલય કારણ કે મોદી કેબિનેટમાં અમિત શાહને ગૃહમંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. અમિત શાહ આ પહેલા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ રહી ચુક્યા છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

અમિત શાહ નું નામ ગૃહમંત્રી તરીકે જાહેર થતાની સાથે જ પાટીદાર આંદોલનના નેતા અને હાલ કોંગ્રેસ પક્ષના યુવાન નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા દ્વારા અમિત શાહ તેમજ મોદી સરકાર પર શાબ્દિક ચાબખા મારીને નિશાન સાધ્યું હતું.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમિત શાહ જી ગૃહમંત્રી બન્યા છે તેથી હું તેમને હાર્દિક શુભકામનાઓ આપી રહ્યો છું. પણ આજે કેટલાક ભક્તોના મારા પર મેસેજ આવી રહ્યા છે કે હવે તારૂ શું થશે હાર્દિક?! મતલબ અમિત શાહ ના ગૃહમંત્રી બન્યા પછી ભક્તો ખુબ ખુશ છે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

વધુમાં હાર્દિકે જણાવ્યું કે, અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ કેટલાક ભક્તોના મારી પર મેસેજ આવે છે અને ગંદી ભાષામાં મેસેજ કરીને ધમીકી પણ આપે છે. ભાજપ વિરુદ્ધ લડવાવાળા અમારા જેવા યુવાનોને મારીનાખવામાં આવશે? ચાલો ભગવાનની જેવી ઈચ્છા.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલે અંતે ક્રાંતિકારી લોહિયાના શબ્દો યાદ કરીએન કહ્યું કે, મને આંદોલનકારી લોહિયાજીના શબ્દો યાદ આવી રહ્યા છે, જો રસ્તા શાંત થઇ જશે તો સંસદ બેકાર આવારા થઇ જશે.

અમિત શાહ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ નું ગૃહમંત્રી બનવું લગભગ લગભગ નક્કી જ હતું. વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૯ સુંધી મોદી સરકારમાં નંબર બે એટલે કે ગૃહમંત્રી તરીકે રાજનાથસિંહ હતા અને હવે અમિત શાહ ના આવ્યા બાદ રાજનાથ સિંહની જગ્યા અમિત શાહે લઇ લીધી છે જે લગભગ નક્કી જ હતું.

Tags: amit shahhardik patelhome ministerjansadmodi sarkarઅમિત શાહગૃહમંત્રીજનસદમોદી સરકારહાર્દિક પટેલ
Previous Post

સુરત આગકાંડમાં નવો વળાંક, મૃતકના પરિવારજનોએ કરી આ માંગ! જાણો શું!

Next Post

સોનિયા ગાંધી ના આ નિર્ણયે કોંગ્રેસની દશા અને દિશા બદલી નાખી! જાણો શું!

jansad

jansad

Next Post
સોનિયા ગાંધી

સોનિયા ગાંધી ના આ નિર્ણયે કોંગ્રેસની દશા અને દિશા બદલી નાખી! જાણો શું!

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.