Jansad
Advertisement
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
  • Home
  • Top Stories
  • Supreme Court
  • High Court
  • Point Of Law
  • About us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
No Result
View All Result
Jansad
No Result
View All Result
Home India

તેલંગાણામાં સોનિયા ગાંધી ની જંગી જનસભા, રેલીમાં ઉમડ્યો જનસેલાબ.

jansad by jansad
December 5, 2018
in India, Politics
0
સોનિયા ગાંધી

ફોટો: ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ

0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

સોનિયા ગાંધી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમ સાથે તેલંગાણામાં પણ વિધાનસભા ચુંટણી યોજાઈ રહી છે ત્યારે આજે સોનિયા ગાંધી એ તેલંગાણામાં જંગી જનસભાને સંબોધી રહ્યા છે. તેલંગણામાં હાલ ટીઆરએસ ની સરકાર છે થોડા દિવસ પહેલા જ તેમણે વિધાનસભા ભંગ કરીને ચુંટણી કરવવાનો નિર્ણય લીધો હતો.

સોનિયા ગાંધી
ફોટો: INC India

વર્ષ 2014માં સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવેલા અથાગ પ્રયત્નોથી તેલંગાણા અલગ રાજ્ય બન્યું. તેલંગાણા આંધ્રપ્રદેશથી અલગ થયા બાદ અલગ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો છે ત્યારથી ત્યાં TRS ના કે. ચંદ્રશેખર રાવની સરકાર છે. સોનિયા ગાંધીએ તેલંગાણા બનાવવામાં ખુબજ મહેનત કરી હતી અને તે ખરડો પાસ કરાવવા પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી તે સમયે TRS કોંગ્રેસ પાર્ટી સાથે હતી અને હાલના તેલંગાણાના કે. ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી સોનિયા ગાંધી સાથે હતા. પરંતુ જ્યારે તેલંગાણા અલગ રાજ્ય બન્યું કે તરત કે. ચંદ્રશેખર રાવના સુર બદલાયા અને તેલંગણા પાર કબજો જમાવવા માટે તે કોંગ્રેસ વિરુદ્ધ થયા અને સોનિયા ગાંધીએ આપેલા યોગદાનને પોતાનું ગણાવીને જશ ખાટવા લાગ્યા. અંતે તેલંગાણાની ચુંટણીમાં TRSનો વિજય થયો અને કોંગ્રેસનો પરાજય પરંતુ સોનિયા ગાંધી માટે આજે પણ તેલંગાણાને એટલુંજ માન સમ્માન છે.

આજે જ્યારે તેલંગાણામાં સોનિયા ગાંધી પ્રચાર કરવા જઈ રહ્યા છે ત્યારે તેમની રેલીમાં અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લાગે છે કે તેલંગાણાની જનતા બદલાવના મૂડમાં લાગે છે. સોનિયા ગાંધી દ્વારા તેલંગાણાને ખુબજ મહત્વ આપવામાં આવે છે અને તેલંગાણા સોનિયા ગાંધીની સૌથી નજીક છે તેવું તેમની આજુબાજુના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

LIVE: UPA Chairperson Smt. Sonia Gandhi addresses a gathering in Medchal, Telangana. #TelanganaKosamSoniaAmma https://t.co/4Qrx8bxYdv

— Congress (@INCIndia) November 23, 2018

જંગી જનસભાને સંબોધતા શ્રીમતી ગાંધીએ ટીઆરએસ ના કેસીઆર પર પણ નિશાન સાધ્યું અને જનતાને કહું કે, હાલની સરકારે તેલંગાણાના ખેડૂતો માટે કશુંજ કર્યું નથી, કોંગ્રેસે આપેલા ભૂમિઅધિગ્રહણના કાયદાની પણ જાણી જોઈને અવગણના કરવામાં આવી છે. તેમજ તેમણે જનતાને પૂછ્યું કે શું મળ્યું તમને આ સરકાર તરફથી?

સોનિયા ગાંધી
ફોટો: INC India

જનતાનો ઉત્સાહ અને ભીડ જોઈને લાગી રહ્યું છે કે તેલંગાણાની જનતા બદલાવના મૂડમાં છે અને કોંગ્રેસ આ ચૂંટણીમાં વાપસી કારી શકે છે તેમજ આ સભા જોઈને TRS કાર્યકર્તાઓ અને KCRના માટે આ ચિંતાનો વિષય જરૂર બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીની તબિયત નાદુરુસ્ત હોવા છતાં તે તેલંગાણાની જનતા અને કોંગ્રેસ નેતાઓના આગ્રહને વસ થઈને પ્રચાર માટે તેલંગાણાના પ્રવાસે છે. તેલંગાણાની રચના માટે સોનિયા ગાંધીનું યોગદાન અનન્ય છે.

Tags: Sonia GandhiTelanganaકોંગ્રેસચુંટણીજનસદજનસદ ન્યુઝતેલંગણારાહુલ ગાંધીવિધાનસભાસોનિયા ગાંધી
Previous Post

રાહુલ ગાંધી એ પ્રધાનમંત્રી મોદીને આપી ચેલેંજ, ગરમાયું રાજકારણ. જાણો શા માટે

Next Post

તો આ છે ભારતીય જનતા પાર્ટીની સફળતાનો રાઝ, ભાજપ સૌથી આગળ

jansad

jansad

Next Post
ભાજપ

તો આ છે ભારતીય જનતા પાર્ટીની સફળતાનો રાઝ, ભાજપ સૌથી આગળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Recent

  • ચેક બાઉન્સ કેસમાં ITRમાં લોનની રકમ દર્શાઈ ન હોય છતાં S.138 NI Act નો કેસ અમાન્ય ન થાય: પંજાબ હરિયાણા હાઈકોર્ટ
  • The Legend of Zelda: Breath of the Wild gameplay on the Nintendo Switch
  • Shadow Tactics: Blades of the Shogun Review
  • macOS Sierra review: Mac users get a modest update this year
  • Hands on: Samsung Galaxy A5 2017 review
Jansad

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Navigate Site

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

Follow Us

No Result
View All Result

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.